ઊંચા કોટડા શ્રી ચામુંડા માતાજી મંદિર: જાણો સમુદ્ર કિનારે આવેલી આ અદ્ભુત શક્તિપીઠનો ઇતિહાસ

ભાવનગરના મહુવા પાસે આવેલું ઊંચા કોટડા ચામુંડા માતાજીનું મંદિર અદ્ભુત ઇતિહાસ ધરાવે છે. જાણો આ સમુદ્ર કિનારે આવેલી શક્તિપીઠની દંતકથા, વિશેષતા અને દર્શન ગાઇડ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 13 Jun 2026 06:00 AM (IST)Updated: Sat, 13 Jun 2026 06:00 AM (IST)
uncha-kotda-chamunda-mata-temple-mahuva-bhavnagar-history

Uncha Kotda Chamunda Mata Temple History: ગોહિલવાડ ભાવનગરની ચારેય દિશાએ માતાજી રખેવાળી માટે બેઠા છે. ભાવનગર જિલ્લામાં અનેક ધાર્મિક સ્થાનકો આવેલા છે. પરંતુ 'ઉંચા કોટડા' ગામમાં આવેલું શ્રી ચામુંડા માતાજીનું ધામ 52 શક્તિપીઠ પૈકીનું એક છે. માતાજી ઉપર અનન્ય શ્રધ્ધા અને ભાવ સાથે દર્શનાર્થીઓનો બારેયમાસ અવિરત પ્રવાહ ચાલુ રહે છે.

પરમ પવિત્ર અને પ્રકૃતિના અદ્ભુત સંગમ સમાન ધામ એટલે ઊંચા કોટડા ચામુંડા માતાજીનું મંદિર, આજે ગુજરાતી જાગરણ તેની મંદિરોની સિરીઝમાં ઉંચા કોટડા ચામુંડા માતાના ઈતિહાસ અને મંદિરની સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવશે.

naidunia_image

ઉંચા કોટડા ચામુંડા માતાજીનો રોચક ઈતિહાસ

ઊંચા કોટડા મંદિરની સ્થાપના પાછળ વર્ષ જૂનો ઇતિહાસ છે. માતાના સ્થાનકના ઈતિહાસ મુજબ, મારવાડની ધરા પર ત્રણ-ત્રણ વર્ષના કારમા દુકાળથી ભુખ અને તરસથી પીડાતા લોકો માલ ઢોર સાથે પલાયન કરવા લાગ્યા હતા. તે દરમિયાન દુકાળિયું વેઠતા જસા ભીલને સ્વપ્નમાં ચામુંડા માતાએ દર્શન આપીને કહ્યું કે, તારી પત્ની સાથે માલઢોર લઈને ગોહિલવાડ તરફ પ્રયાણ કરજે. જ્યાં કાળી ગાય પગની ખરીથી ખોતરે ત્યાં તુ નિવાસ કરજે. મારુ ખાડિયું અને ત્રિશુલની સ્થાપના કરજે.

ચામુંડા માની આજ્ઞાથી જસા ભીલે માલઢોર લઈ ગોહિલવાડ તરફ પ્રયાણ કર્યું હતું. જે ઉંચા કોટડા ગામે ભેખડોની ટોચ પર પહોંચતા કાળી ગાયે પગની ખરીથી ત્યાં ખોતર્યું હતું. ત્યાં ચામુંડા માતાજીનું મંદિર બન્યું. હાલ આ ખાડિયું અને ત્રિશુલની પૂજા મંદિરમાં થાય છે. નિ:સંતાન જસો ભીલ દરિયા કાંઠે આવેલ ઉંચા કોટડા ગામે વસવાટ કરે છે. માતાની પરમ કૃપાથી જસા ભીલને ત્યાં કાળિયા ભીલનો જન્મ થયો. જે દરિયામાં આવતા વહાણોને લૂંટીને હીરા-જવેરાત કોઠીમાં સંતાડતો.

આજે પણ કાળિયા ભીલની કોઠીના અવશેષો ઉંચા કોટડા ગામમાં જર્જરીત અવસ્થામાં છે. એકવાર કાળિયા ભીલને ફીરંગીઓએ ઝડપીને જેલમાં પૂરી દિધો હતો. માતાજીએ હાજર થઈને તેને બચાવ્યો. ત્યાર પછી કાળિયા ભીલે વહાણો લૂંટવાનું બંધ કરીને ભક્તિભાવ તરફ વળ્યો હતો.

naidunia_image

મંદિરની વિશેષતાઓ અને ધાર્મિક મહત્વ

મંદિરના ગર્ભગૃહમાં મા ચામુંડાની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે, જે સાક્ષાત હોવાનો અહેસાસ કરાવે છે. અહીં વર્ષોથી એક અખંડ દીવો પ્રજ્વલિત છે, જેના દર્શન માત્રથી ધન્યતા અનુભવાય છે. આ મંદિરની સૌથી મોટી ચમત્કારિક વિશેષતા એ છે કે, સમુદ્રમાં ગમે તેટલી ભયાનક ભરતી કે વાવાઝોડું આવે, પરંતુ દરિયાના મોજાં માતાજીના ડુંગરની નીચે આવીને શાંત થઈ જાય છે.

ક્યારેય ભરતીના પાણી મંદિરને નુકસાન પહોંચાડી શક્યા નથી. આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન ઊંચા કોટડા ખાતે ભવ્ય મેળો ભરાય છે. ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા ચામુંડાના દર્શનાર્થે અહીં પગપાળા સંઘ લઈને આવે છે.

naidunia_image

મંદિરમાં ભક્તો માટે ઉપલબ્ધ મુખ્ય સુવિધાઓ નીચે મુજબ છે:

  • દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ અને પદયાત્રીઓ માટે મંદિર પરિસરમાં જ વિશાળ અને સસ્તી ધર્મશાળાની વ્યવસ્થા છે.
  • અહીં ભક્તો માટે એસી (AC) અને નોન-એસી (Non-AC) બંને પ્રકારના રૂમ વ્યાજબી ભાવે મળી રહે છે.
  • મોટા સંઘ અથવા ગ્રુપમાં આવતા યાત્રાળુઓ માટે મોટા હોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
  • મંદિરમાં દરરોજ બપોરે અને સાંજે આવતા તમામ ભક્તો માટે શુદ્ધ, સાત્વિક અને ગરમાગરમ ભોજન-પ્રસાદની વ્યવસ્થા સાવ મફત અથવા ટોકન દરે કરવામાં આવે છે.
  • મા ચામુંડાના નૈવેદ્ય (ધૂપ) માટે મંદિરમાં ખાસ સુખડીનો પ્રસાદ પણ કાઉન્ટર પરથી મળી રહે છે.
  • મંદિર દરિયા કિનારે ઊંચી ભેખડ પર હોવાથી ત્યાં પહોંચવા માટે પાકા અને પહોળા પગથિયાં બનાવવામાં આવ્યા છે.
  • વૃદ્ધો અને અશક્ત ભક્તો સરળતાથી ચડી શકે તે માટે પગથિયાંની બંને બાજુ મજબૂત રેલિંગ લગાવવામાં આવી છે. સાથે જ ચડતી વખતે વચ્ચે-વચ્ચે બેસવા માટે ઓટલા અને છાંયડાની વ્યવસ્થા છે.
  • ડુંગરની નીચે ભક્તોના પ્રાઈવેટ વાહનો (ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર) તેમજ લક્ઝરી બસો માટે મોટું અને સુરક્ષિત પાર્કિંગ ગ્રાઉન્ડ ઉપલબ્ધ છે.
  • મહુવા અને નજીકના સેન્ટરોથી મંદિર સુધી પહોંચવા માટે ઓટો રિક્ષા અને પ્રાઈવેટ વાહનો ડુંગરની તળેટી સુધી સરળતાથી મળી રહે છે.
  • તળેટીમાં તેમજ મંદિરની ઉપર ભક્તો માટે ઠંડા અને શુદ્ધ પીવાના પાણીના કૂલર મૂકવામાં આવ્યા છે.
  • યાત્રિકોની સુવિધા માટે સ્વચ્છ શૌચાલય (Toilets) અને સ્નાન કરવા માટેના ઘાટ/બાથરૂમની પૂરતી વ્યવસ્થા છે.
  • નવરાત્રી કે તહેવારો દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષા ગાર્ડ્સ અને સમગ્ર મંદિર પરિસરમાં CCTV કેમેરા લગાવેલા છે.
  • તળેટીમાં પૂજા-અર્ચનાની સામગ્રી, નાળિયેર, રમકડાં અને ખાણી-પીણીની નાની દુકાનો આવેલી છે.

ઊંચા કોટડા માતાના દર્શને જાઓ તો નોંધી લો સમય:

વિગત / કાર્યક્રમ સમય
મંદિર ખુલવાનો સમય સવારે 06:00 વાગ્યે
મંગલા આરતી (સવારની) સવારે 06:30 વાગ્યે
સંધ્યા આરતી (સાંજની) 🕯️ સાંજે 07:00 વાગ્યે (સૂર્યાસ્ત મુજબ ફેરફાર થઈ શકે)
મંદિર બંધ થવાનો સમય 🌌 રાત્રે 08:00 વાગ્યે
naidunia_image

ઊંચા કોટડા કેવી રીતે પહોંચવું?

રોડ માર્ગ

માતા ચામુંડાના દર્શન કરવા માંગતા ભક્તો રોડ માર્ગ દ્વારા ઉંચાકોટડા જઈ શકે છે. ભાવનગર, મહુવા, તળાજા અને પાલીતાણાથી ઊંચા કોટડા જવા માટે ગુજરાત એસ.ટી. બસ (GSRTC) અને પ્રાઇવેટ ટેક્સીઓ સરળતાથી મળી રહે છે.

રેલ્વે માર્ગ

ઉંચા કોટડા માતા ચામુંડાના દર્શન કરવા માંગતા ભાવિકો રેલવે દ્વારા જઈ શકે છે. મહુવા જંકશનથી ઉંચા કોટડા 15 કિમી અને ભાવનગર ટર્મિનસથી આશરે 85 કિમી છે.

હવાઈ માર્ગ

ઉંચા કોટડાથી ભાવનગર એરપોર્ટ અહીંથી સૌથી નજીક પડે છે. દેશના કોઈ પણ ખૂણે રહેતા ભક્તો માતાના દર્શન કરવા માટે હવાઈ માર્ગથી પણ દર્શન કરવા આવતા હોય છે.

naidunia_image

ઊંચા કોટડા આસપાસના અન્ય પ્રવાસન સ્થળો

જો તમે ઊંચા કોટડા જઈ રહ્યા હોવ, તો આજુબાજુના આ સુંદર સ્થળોની મુલાકાત ચોક્કસ લો:

  • કોટડા બીચ: મંદિરની બિલકુલ નીચે આવેલો શાંત દરિયા કિનારો પ્રકૃતિપ્રેમીઓ માટે બેસ્ટ સ્પોટ છે.
  • ભવાની માતા મંદિર (ભવાની બીચ): મહુવા નજીક આવેલો આ સુંદર દરિયા કિનારો અને મંદિર પણ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ ધરાવે છે.
  • માલણ નદી: મહુવાની જીવાદોરી સમાન આ નદીના કિનારે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે.