Tulsi Vivah 2025: આ વસ્તુઓને તુલસી પાસે ન રાખો, ઘરમાં પૈસાની તકલીફ ઉભી થશે

તુલસી વિવાહના દિવસે વાસ્તુ સંબંધિત બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તુલસી પાસે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 29 Oct 2025 04:01 PM (IST)Updated: Wed, 29 Oct 2025 04:01 PM (IST)
tulsi-vivah-2025-things-not-to-keep-near-tulsi-plant

Tulsi Vivah 2025: તુલસીનો છોડ ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં તુલસીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે તુલસી માતા મા લક્ષ્મીનું જ સ્વરૂપ છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઊર્જા નાશ પામે છે. તુલસીનો છોડ ઘરના સભ્યોની રક્ષા કરે છે અને સાથે જ દરેક સમસ્યાઓથી બચાવે છે.

ક્યારે છે તુલસી વિવાહ 2025

આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે આ પર્વ કાર્તિક માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના માતૃ તુલસી (વૃંદા) સાથે લગ્ન કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસી વિવાહ કરાવવાથી લોકોના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને ઘરમાં ખુશહાલી આવે છે.

તુલસી વિવાહના દિવસે વાસ્તુ સંબંધિત બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તુલસી પાસે કેટલીક વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં આર્થિક તંગી આવી શકે છે.

તુલસી પાસે ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ

ચંપલ-જૂતા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તુલસીના છોડની પાસે જૂતા-ચંપલ ન રાખવા જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે, જેના કારણે ઘરમાં આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે. તુલસીનું સ્થાન હંમેશા સ્વચ્છ અને પવિત્ર રાખવું જોઈએ.

ઝાડુ (સાવરણી)
તુલસી પાસે ઝાડુ પણ ન રાખવું જોઈએ. ઝાડુનો ઉપયોગ ગંદકી દૂર કરવા માટે થાય છે, અને તેને તુલસીના છોડ પાસે રાખવાથી માતાનું અપમાન થાય છે. આના કારણે ઘરમાં પૈસા સંબંધિત પરેશાનીઓ ઊભી થઈ શકે છે.

શિવલિંગ
તુલસીનો છોડ અને શિવલિંગ ક્યારેય એકસાથે ન રાખવા જોઈએ. આવું કરવાથી પૂજામાં દોષ લાગે છે. તેનું કારણ એ છે કે મહાદેવે તુલસી માતાના પતિ શંખચૂડનો વધ કર્યો હતો.

કાંટેદાર છોડ
તુલસીની પાસે કાંટેદાર છોડ લગાવવા કે રાખવા ન જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે. એટલું જ નહીં આનાથી ઘરના લોકોમાં તણાવ અને ઝઘડો વધે છે.