Pauranik Katha: ચંદ્રદેવનો સોમનાથ જ્યોતિર્લિંગ સાથે શું સંબંધ છે? જાણો આ અદ્દભૂત કથા

મહાદેવ પ્રગટ થઈને ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્ત કર્યો અને વરદાન આપ્યું કે, તે 15 દિવસ સુધી વધશે અને 15 દિવસ સુધી ઘટશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 14 Aug 2025 11:48 PM (IST)Updated: Thu, 14 Aug 2025 11:48 PM (IST)
spiritual-special-pauranik-katha-on-somnath-jyotirlinga-and-moon-phases-mythology

Pauranik Katha | Spiritual Special: આજે અમે તમને ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ જ્યોતિર્લિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની સાથે જોડાયેલી વાર્તા શિવ પુરાણમાં જોવા મળે છે. સોમનાથ જ્યોતિર્લિંગની વાર્તા ચંદ્ર દેવ અને રાજા દક્ષના શ્રાપ સાથે સંબંધિત છે. ચાલો જાણીએ આ અદ્ભુત જ્યોતિર્લિંગ વિશે.

પૌરાણિક કથા શું છે
દંતકથા અનુસાર, ચંદ્રના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા, પરંતુ તે રોહિણીને સૌથી વધુ પ્રેમ કરતો હતો. જેના કારણે બીજી પત્નીઓ નાખુશ હતી, તેથી તેમણે આ અંગે તેમના પિતાને ફરિયાદ કરી.

જે બાદ દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો કે, તે ધીમે ધીમે તેનું તેજ ગુમાવશે અને ક્ષીણ થવા લાગશે. આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ચંદ્રએ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવની તપસ્યા કરી અને એક શિવલિંગની સ્થાપના કરી.

પ્રસન્ન થયેલા મહાદેવે ચંદ્ર દેવને શ્રાપમાંથી મુક્ત કર્યાં

ચંદ્રની તપસ્યાથી પ્રસન્ન થઈને, મહાદેવ પ્રગટ થયા અને ચંદ્રને શ્રાપથી મુક્ત કર્યો અને તેને વરદાન આપ્યું કે,તે 15 દિવસ સુધી વધશે અને 15 દિવસ સુધી ઘટશે. જે બાદ ચંદ્રદેવે ભગવાન શિવને જ્યોતિર્લિંગના રૂપમાં ત્યાં નિવાસ કરવા વિનંતી કરી. ભગવાન શિવે તેમની વિનંતી સ્વીકારી, જેના પછી આ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે.

મંદિરની વિશેષતા
એક ધાર્મિક મંદિર હોવા ઉપરાંત, સોમનાથ મંદિર તેની અદ્દભૂત સ્થાપત્ય માટે પણ પ્રખ્યાત છે. મંદિરમાં હંમેશા એક શાશ્વત જ્યોત પ્રજ્વલિત રહે છે. આ મંદિર સાથે જોડાયેલી બીજી એક વાત જે તેને ખાસ બનાવે છે તે એ છે કે,આ મંદિર પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે અને ઘણી વખત તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.

માન્યતાઓ અનુસાર, આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે, અહીં દર્શન કરવાથી વ્યક્તિને ચંદ્ર દોષથી પણ મુક્તિ મળી શકે છે.