Budh Ast 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું સંક્રમણ અને તેમની સ્થિતિમાં આવતા ફેરફારો માનવ જીવન પર ઊંડી અસર કરે છે. આ ક્રમમાં, ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહ હાલમાં મેષ રાશિમાં અસ્ત અવસ્થામાં છે. બુધ 27 એપ્રિલે અસ્ત થયો હતો અને તે 23 મે, 2026 સુધી આ સ્થિતિમાં રહેશે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની અતિ નજીક આવે છે, ત્યારે તે તેની તેજસ્વીતા ગુમાવે છે, જેને જ્યોતિષીય ભાષામાં 'દહન' કે 'અસ્ત' થવું કહેવાય છે.
બુધનું મહત્વ અને અસ્તની અસર
આ પણ વાંચો
બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, સંવાદ કલા,વેપાર અને નિર્ણય લેવાની ક્ષમતાનો કારક છે. બુધ અસ્ત થવાને કારણે વ્યક્તિની વિચારવાની શક્તિ પ્રભાવિત થાય છે અને વ્યવસાયિક કાર્યોમાં અવરોધો આવવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને નીચેની 4 રાશિઓ માટે આ 27 દિવસનો સમયગાળો પડકારજનક સાબિત થઈ શકે છે:
મેષ રાશિ
- મેષ રાશિમાં જ બુધ અસ્ત થયો હોવાથી આ રાશિના જાતકો પર તેની સીધી અસર જોવા મળશે.
- કાર્યસ્થળ પર દબાણ વધી શકે છે અને સહકર્મીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે.
- કોઈપણ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા કે મોટું રોકાણ કરતા પહેલા દસ વાર વિચારવું. ઉતાવળમાં લીધેલા નિર્ણયો આર્થિક નુકસાન કરાવી શકે છે.
કર્ક રાશિ
- કર્ક રાશિના જાતકો માટે 23 મે સુધીનો સમય માનસિક ઉથલપાથલ વાળો રહી શકે છે.
- વેપારમાં ધાર્યું પરિણામ ન મળતા નિરાશા સાંપડી શકે છે.
- આ સમયગાળા દરમિયાન મોટા નાણાકીય વ્યવહારો ટાળવા. રોકાણ માટે આ યોગ્ય સમય નથી. દરેક પગલું ખૂબ જ વિચારીને ભરવું જરૂરી છે.
તુલા રાશિ
- તુલા રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર બુધના અસ્તની નકારાત્મક અસર પડી શકે છે.
- અચાનક ખર્ચમાં વધારો થવાથી બજેટ ખોરવાઈ શકે છે.
- નોકરીમાં પ્રમોશન કે નવી તકોમાં વિલંબ આવી શકે છે. જોકે, ધીરજ અને સચોટ આયોજન તમને મુશ્કેલીમાંથી બહાર લાવી શકે છે.
મકર રાશિ
- મકર રાશિના જાતકો માટે બુધનું દહન માનસિક તણાવનું કારણ બની શકે છે.
- તમે બનાવેલી યોજનાઓ નિષ્ફળ જવાથી ચિંતામાં વધારો થશે.
- વેપારી વર્ગને જૂના સોદાઓમાં અડચણો આવી શકે છે. પરિવારમાં પણ વાણી પર સંયમ રાખવો અનિવાર્ય છે.
બુધ અસ્ત થવાથી આ 4 રાશિના જાતકોએ 23 મે સુધી ખાસ કરીને લેખિત કામકાજ, વાણી અને વ્યવસાયિક નિર્ણયોમાં અત્યંત તકેદારી રાખવી જોઈએ. બુધના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે ગણેશજીની આરાધના કરવી હિતવાહક રહેશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
