Kharmas 2024: ખરમાસમાં તુલસીની પૂજાનું છે આગવું મહત્ત્વ, જાણી લો વિધિ અને નિયમ નહીંતર દેવી લક્ષ્મી થશે નારાજ

ખરમાસ એક મહિના સુધી ચાલશે. આગામી 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના શુભ અવસર પર સૂર્ય ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે જ ખરમાસ સમાપ્ત થશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Dec 2024 07:00 AM (IST)Updated: Fri, 13 Dec 2024 07:00 AM (IST)
benefits-of-tulsi-puja-in-kharmas-2024
HIGHLIGHTS
  • બે દિવસ બાદ 15 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે

Kharmas 2024: હિન્દુ કેલેન્ડર મુજબ ખરમાસને અશુભ સમય માનવામાં આવે છે. જ્યારે સૂર્ય ભગવાન ધનુ અને મીન રાશિમાં ગોચર કરે છે, ત્યારે ખરમાસ શરૂ થાય છે. આ વર્ષે 15 ડિસેમ્બરે સૂર્ય ભગવાનના ધનુ રાશિમાં પ્રવેશ કરશે તે સાથે ખરમાસની શરૂઆત થશે, જે એક મહિના સુધી ચાલશે. આગામી 14 જાન્યુઆરી, 2025ના રોજ મકરસંક્રાંતિના શુભ અવસર પર સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશ સાથે જ ખરમાસ સમાપ્ત થશે.

ખરમાસના આ એક મહિનાના સમય દરમિયાન સૂર્ય ભગવાનની સાથે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં જો તમે ખરમાસમાં તુલસીની પૂજા કરતા હોવ તો કઈ પદ્ધતિથી ફાયદો થઈ શકે? જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી આ વિશે વિગતવાર જાણો.

ખરમાસમાં તુલસીની પૂજા કેવી રીતે કરવી?

  • ખરમાસમાં તુલસીની પૂજા યોગ્ય રીતે કરો. આનાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
  • ખરમાસ દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં તુલસીની પૂજા કરવી અને જાગવું શુભ માનવામાં આવે છે.
  • સૌથી પહેલા એક વાસણમાં પાણી લો, તેમાં ગંગાજળના થોડા ટીપા ઉમેરો અને આ પાણીથી તુલસીના છોડને ધોઈ લો.
  • તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને પછી ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવીને તુલસીની પૂજા કરો.
  • ખાસ કરીને તુલસીના છોડની પૂજા કરતી વખતે આ મંત્રોનો જાપ કરો.
  • ઓમ વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર.
  • તુલસીના છોડ પાસે અગરબત્તી પ્રગટાવો.
  • તુલસીના છોડની પરિક્રમા કરો અને પછી તુલસીજીની પ્રાર્થના કરો.
  • છેલ્લે તુલસીજીની આરતી કરો.

ખરમાસે તુલસીની પૂજાનું શું મહત્વ છે?
શાસ્ત્રો અનુસાર, તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. ખરમાસમાં નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. તેની સાથે જ વ્યક્તિને સ્વાસ્થ્ય પણ મળે છે.

જો-જો આ ભૂલ કરતાં
ખરમાસમાં તુલસી પર સિંદૂર અથવા કોઈ સૌભાગ્ય સબંધિત સામગ્રી ના ચડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી ધનની દેવી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. આથી ખરમાસમાં તુલસીને દીપદાન, જળદાન અને ધૂપદાન જ કરી શકાય છે. આ સિવાય અન્ય કોઈ પ્રકારની પૂજા કરવી અશુભ મનાય છે.

તુલસી પૂજા દરમિયાન આ મંત્રોનો જાપ કરો
જો તમે તુલસીની પૂજા કરી રહ્યા છો, તો આ દરમિયાન કેટલાક મંત્રોનો જાપ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આના કારણે વ્યક્તિને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે.

तुलसी श्रीर्महालक्ष्मीर्विद्याविद्या यशस्विनी।
धर्मा धर्मानना देवी देवीदेवमन: प्रिया।
लभते सुतरां भक्तिमन्ते विष्णुपदं लभेत्।
ॐ वासुदेवाय नमः और ॐ नमो भगवते वासुदेवाय मंत्र