Akshaya Tritiya Gold Buying Muhurat 2026: હિન્દુ ધર્મમાં અનેક ત્રીજ અને તહેવારોને આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે, જે પૈકી એક છે અક્ષય તૃતિયા અર્થાત અખા ત્રીજ. અખા ત્રીજ અત્યંત શુભ દિવસ છે, જે દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે મનાવવામાં આવે છે.
એવી માન્યતા છે કે, આ દિવસ અત્યંત શુભ હોવાથી કોઈ પણ નવું કામ શરૂ કરી શકાય છે. અખા ત્રીજે નવું મકાન અને વાહન જેવી કિંમતી વસ્તુ ખરીદવા તેમજ પૂજા-પાઠની વિધિ કરી શકાય છે. આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, તેમજ સોનું અને ચાંદી ખરીદવામાં આવે છે.
પંચાગ પ્રમાણે, આ વર્ષે અખા ત્રીજ 19 એપ્રિલ,2026ના રોજ મનાવવામાં આવશે. આમ તો અક્ષય તૃતીયા અર્થાત અખા ત્રીજ એક અબુજ મુહૂર્ત હોય છે, પરંતુ કેટલાક મુહૂર્ત એવા છે, જે દરમિયાન સોનું ખરીદવું તમને વધારે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સંદર્ભે અમે મધ્ય પ્રદેશના છીંદવાડા સ્થિત પંડિત અને જ્યોતિષાચાર્ય સૌરભ ત્રિપાઠી સાથે વાતચીત કરી છે.
પંડિતજીના જણાવ્યા પ્રમાણે, અક્ષયનો અર્થ અનંત છે અને અનંત માત્ર શ્રી હરી વિષ્ણુ છે. એવામાં અક્ષય તૃતીયના દિવસે સોનું કે ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. એવું મનાય છે કે, આ દિવસે જો તમે સોનું ખરીદો છો, તો તેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ અખા ત્રીજે ક્યા મુહૂર્ત પર સોનું ખરીદવું જોઈએ અને તેનાથી કેવા શુભ ફળ પ્રાપ્ત થશે?
- સૌથી શુભ સમય સવારે 10:50 થી બપોરે 12:19 સુધીનો છે, જેમાં ચલ, લાભ અને અમૃત જેવા શ્રેષ્ઠ ચોઘડિયા મળે છે; એવું માનવામાં આવે છે કે આ સમયગાળામાં કરેલા કાર્યો અક્ષય ફળ આપે છે.
- જો કોઈ કારણસર સવારનું મુહૂર્ત ચૂકી જવાય, તો બપોરનો શુભ સમય 1:55 થી 3:30 સુધીનો છે, જે સોનાની ખરીદી માટે બીજો સારો વિકલ્પ છે.
- આ ઉપરાંત, સાંજનો શુભ સમય સાંજે 6:50 થી રાત્રે 10:55 સુધીનો છે, જેમાં શુભ, અમૃત અને ચલ ચોઘડિયાનો લાભ મળે છે. આ સમયગાળામાં કરવામાં આવેલું રોકાણ લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જણાવી દઈએ કે, અખા ત્રીજને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે. એટલે કે આ દિવસે કોણ વિશેષ મુહૂર્ત વિના શુભ કાર્ય કરી શકાય છે, પરંતુ ઉપર દર્શાવેલા મુહૂર્ત વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
આ દિવસે શરૂ કરવામાં આવેલી નવી શરૂઆત આપને ભવિષ્યમાં મોટો ફાયદો પહોંચાડે છે અને જીવનમાં સતત પ્રગતિ થતી રહે છે. જો તમે આ દિવસે સોનું ના પણ ખરીદી શકો તો પણ ઘરમાં રહેલા સોના-ચાંદીના જૂના દાગીનાની પૂજા અચૂક કરવી જોઈએ.
