PIL against Vice President and Law Minister. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કાયદા મંત્રી કિરેન રિજિજુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાયતંત્ર પર બંનેના તાજેતરના નિવેદનો ભારતના બંધારણમાં વિશ્વાસનો અભાવ દર્શાવે છે. આ કિસ્સામાં, તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ.
બોમ્બે લોયર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી હતી કે, હાઇકોર્ટ ઉપરાષ્ટ્રપતિ ધનખર અને કાયદા પ્રધાન રિજિજુને તેમની સત્તાવાર ફરજો નિભાવવાથી રોકે. તેમજ જાહેર કરે કે બંને તેમના જાહેર વર્તન અને તેમના નિવેદનો દ્વારા ભારતના બંધારણમાં વિશ્વાસ ધરાવતા નથી. તેમને બંધારણીય હોદ્દા પર રહેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવા જોઈએ.
