પેટ્રોલમાં કેટલું ઈથેનોલ? પેટ્રોલપંપ પર માહિતી ફરજિયાત કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

How much ethanol is in petrol:પર્યાવરણ સંરક્ષણ અને હરિત ઉર્જાની દિશામાં મહત્વના પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે આ દેશમાં પરિવહન ચાલકો અને કાર માલીકોના અધિકારો તથા હિતોનું રક્ષણ પણ એટલું જ જરૂરી બની ગયું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 29 Aug 2026 08:46 PM (IST)Updated: Sat, 29 Aug 2026 08:46 PM (IST)
how-much-ethanol-is-in-petrol-supreme-court-to-hear-plea-seeking-mandatory-information-at-petrol-pumps

How much ethanol is in petrol:પર્યાવરણ સંરક્ષણ અને હરિત ઉર્જાની દિશામાં મહત્વના પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે આ દેશમાં પરિવહન ચાલકો અને કાર માલીકોના અધિકારો તથા હિતોનું રક્ષણ પણ એટલું જ જરૂરી બની ગયું છે.

દેશમાં પેટ્રોલમાં ઈથેનોલના વધતા મિશ્રણ (વિશેષ કરીને E20)ને લઈ હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ મામલો પહોંચ્યો છે. આ કેસ ફક્ત ઈંધણ સાથે જ સંકળાયેલ નથી પણ દરેક નાગરિકોની જિજ્ઞાસા અને સુરક્ષા સાથે પણ સંકળાયેલ છે કે જેઓ તેમની મહેનતની કમાણીથી વાહન ખરીદે છે અને માર્ગ પર ચલાવે છે.

નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા દાખલ અરજી સોમવારે એટલે કે 31 ઓગસ્ટના રોજ ન્યાયમૂર્તિ એમએમ સુંદરેશ અને ન્યાયમૂર્તિ પ્રસન્ના બી.વરાલેની બનેલી ખંડપીઠ સુનાવણી માટે ધ્યાન પર લેવામાં આવશે. આ અરજીનો મુખ્ય ઉદ્દેશ પેટ્રોલ પંપો પર પારદર્શિતા લાવવા તથા ગ્રાહકોને તેમના વાહનો માટે યોગ્ય ઈંધણ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો છે.


નોઝલ અને રસીદ પર ઈથેનોલ અંગે સ્પષ્ટ ઉલ્લેખ વર્તમાન સમયમાં વાહન ચાલકોના મનમાં સૌથી મોટી અસમંજસ એ છે કે તેમની ગાડીમાં પેટ્રોલ ભરવામાં આવે છે તેમાં ઈથેનોલનું ચોક્કસ પ્રમાણ કેટલું છે. 

અરજીમાં માંગ કરવામાં આવી છે કે દેશના દરેક પેટ્રોલ પંપ પર ઈંધણ વિતરણ કરનાર દરેક ડિસ્પેન્સિંગ નોઝલ પર ફરજિયાતપણે અને પ્રદર્શિત કરવામાં આવેકે પેટ્રોલમાં ઈથેનોલનું કેટલું પ્રમાણ મિશ્રિત છે.

આ ઉપરાંત અરજીમાં એવો પણ આગ્રહ કરવામાં આવ્યો છે કે વાહન ચાલકોને મળતી દરેક રસીદ(ઈનવોઈસ) પર પણ આ મિશ્રણની ટકાવારી સ્પષ્ટપણે મુદ્રીત હોવી જોઈએ.તેનાથી વાહન માલીકો એ સારી રીતે જાણી શકશે કે તેમની ગાડીમાં કયા પ્રકારનું ઈંધણનો ઉપયોગ કરી રહ્યા છે.

ઓથેનોલના વધતા મિશ્રણથી જૂના અથવા ગેર-સંગત વાહનોના એન્જીન પર થનારી અસરને લઈ વાહન માલિકોમાં ઊંડી ચિંતા છે. તેને ધ્યાનમાં રાખીને અરજીમાં અનેક મહત્વની અને વ્યવહારીક માંગ રજૂ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર અને સંબંધિત વિભાગોને દિશા-નિર્દેશ આપ્યાં કે વાહન ઉત્પાદક, મોડલ, એન્જીનના પ્રકાર અને નિર્માણ વર્ષના આધાર પર એક સુલભ ઓનલાઈન ડેટાબેઝ તૈયાર કરે, જેથી એ માલુમ થઈ શકે કે કયું વાહન કયા ઈથેનોલન મિક્ષણ માટે ઉપયુક્ત છે.

પેટ્રોલિયમ, માર્ગ પરિવહન, ભારતીય માનક બ્યૂરો(BIS)ના પ્રતિનિધિ અને સ્વતંત્ર ઓટોમોબાઈલ એન્જીનિયરોની એક નિષ્પક્ષ સમિતિ બને. આ સમિતિ એન્જીનની ઉંમર, જાળવણી ખર્ચ, ઈંધણની ક્ષમતા અને પર્યાવરણ પર થતી વાસ્તવિક અસરનું અધ્યયન કરી અહેવાલ સોંપશે.