Pahalgam Attack: સિંધુ જળ સંધિ પર બોલ્યા બીજેપી સાંસદ, કહ્યું - મોદીએ 56 ઈંચની છાતી બતાવી, જ્યારે નેહરુએ…

બીજેપી સાંસદ નિશિકાંત દૂબેએ જણાવ્યું કે સિંઘુ જળ સંધિ કરાર પર જવાહરલાલ નેહરુ પર નિશાન તાકતાં કહ્યું હતું કે સાપને પાણીને પીવડાવીને ઉછેર્યો...

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 24 Apr 2025 10:17 AM (IST)Updated: Thu, 24 Apr 2025 10:17 AM (IST)
bjp-mp-nishikant-dubey-target-jawaharlal-nehru-for-indus-water-treaty

Pahalgam Terror Attack: પહેલગામ પર થયેલા આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાને લઈને 2.30 કલાકની બેઠક યોજાઈ હતી, જેમાં સિંઘુ જળ સંધિને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને રાજનીતિક સ્વરુપ આપતા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે પાકિસ્તાની હવે પાણી વિના મરશે, આ છે 56 ઈંચની છાતી…

સિંઘુ જળ સંધિ પર ભાજપના સાંસદે શું કહ્યું

નિશિકાંત દૂબેએ એક્સ એકાઉન્ટ પર જણાવ્યું કે સાપને પાણી પીવડાવનાર સિંઘુ જળ સંધિ કરારના નાયક નેહરુએ 1960 માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરવાના ચક્કરમાં સિંધુ, રાવી, વ્યાસ, ચિનાબ, સતલુજનું પાણી આપીને હિન્દુસ્તાનનું લોહી વહાવ્યું.આજે મોદીએ તેનું પાણી બંધ કરી દીધું છે. આ છે 56 ઈંચની છાતી. અમે સનાતની ભાજપાના કાર્યકર્તા છીએ, તડપાવી તડપાવીને મારીશું.

સિંધુ જળ સંધિ શું છે ?

સિંધુ જળ સંધિ 1960માં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે થઈ હતી. આ અંતર્ગત ભારતને પૂર્વીય નદીઓ રાવી, બિયાસ, સતલુજ પર સંપૂર્ણ અધિકાર મળ્યો, પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ, ચિનાબનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.