Sat Dhan No Khichdo: ઉત્તરાયણ પર બનાવજો સાત ધાનનો ખીચડો

શિયાળામાં ખાસ કરીને ઉત્તરાયણના સમયે બનાવવામાં આવતો સાત ધાનનો ખીચડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Fri 02 Jan 2026 07:39 PM (IST)Updated: Fri 02 Jan 2026 07:39 PM (IST)
uttarayan-special-sat-dhan-no-khichdo-recipe-666921

Sat Dhan No Khichdo: શિયાળામાં ખાસ કરીને ઉત્તરાયણના સમયે બનાવવામાં આવતો સાત ધાનનો ખીચડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. આ પરંપરાગત ખીચડામાં વિવિધ કઠોળ અને અનાજનો ઉપયોગ કરવામાં આવે છે જે તેને સ્વાદિષ્ટ બનાવે છે.

જરૂરી સામગ્રી:

  • 1 વાટકી દેશી ચણા અને 1 વાટકી મગ લો.
  • 1/4 વાટકી મઠ અને 1/4 વાટકી તુવેરની દાળ તૈયાર રાખો.
  • 1 વાટકી ચોળી અને 1/4 વાટકી સૂકા વટાણા લો.
  • મુખ્ય અનાજ તરીકે ઘઉં.
  • લીલા શાકભાજીમાં 1 વાટકી લીલા ચણા, 1 વાટકી લીલા વટાણા અને 1 વાટકી લીલા વાલ લો.
  • રાંધવા માટે 1 વાટકી મિશ્રણ સામે 5 વાટકી પાણીની જરૂર પડશે.
  • સ્વાદ મુજબ મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ લો.

બનાવવાની રીત

  • સૌ પ્રથમ ચણા, મગ, મઠ, તુવેર, ચોળી અને સૂકા વટાણા જેવા તમામ કઠોળને ભેગા કરીને મિક્સ કરી લો.
  • અનાજ (ઘઉં) પર પાણીનો થોડો છંટકાવ કરીને તેને મિક્સર જારમાં લો અને પલ્સ મોડ પર (ચાલુ-બંધ કરીને) અધકચરું કરશો જેથી તેની ઉપરનું પડ એટલે કે ફોતરાં અલગ થઈ જાય.
  • પછી એક વાસણમાં આ મિશ્રણને લઈને થોડું પાણી છાટી છ કલાક રાખી મૂકો.
  • આ પ્રક્રિયા બાદ અનાજને 15 થી 20 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર સૂકવવા દો જેથી તે વ્યવસ્થિત છૂટું પડી જાય.
  • ત્યારબાદ એક પ્લેટની મદદથી અનાજને ઝાપટી લો જેથી વધારાના ફોતરાં અને કચરો દૂર થઈ જાય અને ચોખ્ખું મિશ્રણ તૈયાર થાય.
  • તૈયાર થયેલા આ મિશ્રણને જો તમે લાંબા સમય સુધી વાપરવા માંગતા હોવ તો તેને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકાય છે.
  • હવે એક કુકરમાં વાટકી પાણી ઉમેરો. આ મિશ્રણમાં 1 ટેબલસ્પૂન તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર હલાવો.
  • પછી આ મિશ્રણ તેમા ઉમેરી દો, ત્યારબાદ તેમાં લીલા ચણા, લીલા વટાણા અને લીલા વાલ ઉમેરો.
  • ખૂબ જ ઝડપથી રાંધવા માટે તમે કઠોળને ગરમ પાણીમાં પણ પલાળી શકો છો જેથી તે જલ્દી ચડી જાય.
  • કુકરનું ઢાંકણ બંધ કરી મીડીયમ ફ્લેમ પર આશરે 10 વ્હિસલ થવા દો, કારણ કે સૂકા કઠોળને ચડતા થોડો વધુ સમય લાગે છે.
  • કુકર ઠંડુ પડે એટલે ખીચડાને ચેક કરી લો, જો તે ઘાટો લાગે તો જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી શકાય છે.
  • તૈયાર થયેલા આ ગરમાગરમ ખીચડાને ઉપરથી શુદ્ધ દેશી ઘી નાખીને સર્વ કરવાથી તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે.