Video: પાકિસ્તાની સેનાના પ્રવક્તની શરમજનક હરકત, ઇમરાન ખાન પર કર્યો સવાલ તો મહિલા રિપોર્ટરને આંખ મારી

પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટર જનરલ, લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીના શરમજનક કૃત્યોનો પર્દાફાશ થયો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 09 Dec 2025 11:10 PM (IST)Updated: Wed, 10 Dec 2025 01:24 AM (IST)
video-shameful-act-of-pakistani-army-spokesperson-he-winked-at-a-female-reporter-when-he-asked-a-question-about-imran-khan
HIGHLIGHTS
  • જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એક મહિલા પત્રકારના પ્રશ્ન પર આંખ મારી
  • ઇમરાન ખાનને માનસિક દર્દી કહ્યા
  • સૈન્ય વિરુદ્ધ ઝેર ફેલાવવાનો આરોપ

Video: પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીનું એક શરમજનક કૃત્ય પ્રકાશમાં આવી છે. જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે પત્રકાર અબસા કોમન દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા જનરલ અહેમદને આંખ મારી હતી, જે બાદ વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો છે.

પ્રેસ બ્રીફિંગના એક વિડિયોમાં પત્રકાર ખાન પરના આરોપો વિશે પ્રશ્નો પૂછતી જોવા મળે છે. તેણીએ કહ્યું- આ પહેલા કરતા કેવી રીતે અલગ છે અથવા આપણે ભવિષ્યમાં કોઈ વિકાસની અપેક્ષા રાખવી જોઈએ?

મહિલા પત્રકારને આંખ મારી
ચૌધરીએ જવાબ આપતા કહ્યું- અને ચોથો પોઈન્ટ વધુ ઉમેરી લો, તેઓ એક જેહની મરીઝ (માનસિક રીતે બીમાર) પણ છે. પછી તેને હસીને પત્રકાર તરફ આંખ મારી. X પર એક યુઝરે લખ્યું- આ બધું ખુલ્લેઆમ, કેમેરાની સામે થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. પીએમ એક કઠપૂતળી છે. બીજાએ લખ્યું- એક દેશનું મીમ.

ચૌધરીએ ઇમરાન ખાન પર આરોપ લગાવ્યા
ચૌધરીએ ખાનને નાર્સિસિસ્ટ કહ્યા જેની રાજકીય મહત્વાકાંક્ષાઓ એટલી વધી ગઈ છે કે તે માને છે કે- જો હું સત્તામાં ન હોઉં, તો બીજું કંઈ હોવું જોઈએ નહીં. જોકે, તેમણે તેમનું નામ લીધું ન હતું. ચૌધરીએ કહ્યું કે જેલમાં ખાનને મળવા આવનારાઓનો ઉપયોગ સેના વિરુદ્ધ ઝેર ફેલાવવા માટે થઈ રહ્યો છે.

ચૌધરીએ ખાન પર લશ્કર પ્રત્યે દુશ્મનાવટ ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું- અમે કોઈને પણ પાકિસ્તાની સેના અને તેના લોકો વચ્ચે ફાટ નાખવાની મંજૂરી આપીશું નહીં.

તેમણે 9 મે, 2023ના રોજ રાવલપિંડી મુખ્યાલય સહિત લશ્કરી થાણાઓ પર થયેલા હુમલાઓ સાથે ખાનને જોડતા સેનાના અગાઉના આરોપનો પણ પુનરાવર્તિત કર્યા. તેમણે પૂછ્યું- શું આ એ જ વ્યક્તિ નહોતો જેણે તે હુમલાઓનું કાવતરું ઘડ્યું હતું?