Operation Sindoor: માત્ર 11 એરબેઝ જ નહીં ભારતે આ સ્થળો પણ તબાહ કર્યા, પાકિસ્તાને જાહેર કર્યો નકશો

ભારતે પેશાવર, ઝંગ, સિંધમાં હૈદરાબાદ, પંજાબમાં ગુજરાત, ગુજરાંવાલા, ભવાલનગર, અટક, ચોર અને કરાચી પર પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાનના એક ડોઝિયરમાં આ અંગે એક મોટો ખુલાસો થયો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 03 Jun 2025 02:20 PM (IST)Updated: Tue, 03 Jun 2025 02:20 PM (IST)
operation-sindoor-pakistans-dossier-claims-more-extensive-damage-by-indian-army-shows-in-map

Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતીય સેનાએ માત્ર આતંકવાદીઓના 9 મુખ્ય ઠેકાણાઓને નષ્ટ કર્યા નહીં પરંતુ પાકિસ્તાનના 11 એરબેઝ પર પણ હુમલો કર્યો હતો. પાકિસ્તાનના એક ડોઝિયરમાં આ અંગે એક મોટો ખુલાસો થયો છે.

નુકસાન થયેલા સ્થળોનો નકશો જાહેર કર્યો

પાકિસ્તાની ડોઝિયર મુજબ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઊંડે સુધી ઘૂસીને અનેક મહત્વપૂર્ણ ઠેકાણાઓનો નાશ કર્યો, જેના કારણે તેમને ભારે નુકસાન થયું. ડોઝિયરમાં પેશાવર, હૈદરાબાદ અને કરાચી જેવા અનેક મહત્વપૂર્ણ સ્થળો પર હુમલાનો દાવો કરવામાં આવ્યો છે, જેનો ભારતે ઉલ્લેખ કર્યો નથી. નકશા સાથે તે તમામ સ્થળોના નામ પણ આ ડોઝિયરમાં હાજર છે.

ડોઝિયરમાં 9 સ્થળોના નામ

NDTVના અહેવાલ મુજબ પાકિસ્તાનના ડોઝિયરમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે પેશાવર, ઝંગ, સિંધમાં હૈદરાબાદ, પંજાબમાં ગુજરાત, ગુજરાંવાલા, ભવાલનગર, અટક, ચોર અને કરાચી પર પણ હુમલો કર્યો હતો. જોકે ભારતીય સેનાએ તેની પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ સ્થળોના નામ આપ્યા ન હતા.

પાકિસ્તાનને મોટું નુકસાન

પાક ડોઝિયર મુજબ ભારતે પાકિસ્તાનમાં હુમલાની જે કબૂલાત કરી હતી તેના કરતાં ઘણો વધુ નુકસાન થયું છે. કદાચ આ જ કારણ હતું કે ઇસ્લામાબાદે પોતે યુદ્ધવિરામની ઓફર કરી હતી. ત્રણ દિવસના તીવ્ર તણાવ પછી પાકિસ્તાને યુદ્ધવિરામની ઓફર કરી, જેને ભારતે સ્વીકારી લીધી. પરંતુ હવે જો પાકિસ્તાનના ડોઝિયર પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતે તેના કહેવા કરતાં વધુ સ્થળોએ ભયાનક હુમલા કર્યા છે.