સુરત.
સુરત મહાનગરપાલિકામાં આજે એટલે કે 12 સપ્ટેમ્બરે 48મી નાટ્યસ્પર્ધાનો સંજીવકુમાર ઓડિટોરિય ખાતે પ્રારંભ થવાનો છે. છેલ્લા 50 વર્ષોથી સુરત મનપા આ નાટ્યસ્પર્ધાનું આયોજન કરે છે. અત્રે નોંધનિય છે કે સુરત દેશની એકમાત્ર મહાનગરપાલિકા છે જે સતત નાટ્યસ્પર્ધાનું આયોજન કરે છે.
આ નાટ્યસ્પર્ધામાં સતત 9 દિવસ 9 અલગ-અલગ નાટકો ભજવાશે. કોરોનાકાળમાં બે વર્ષ બંધ રહ્યા બાદ આ નાટ્યસ્પર્ધા ફરી શરુ કરવામાં આવી છે. આજે સૌ પ્રથમ મનુષ્ય નામે મહાભારત નાટક ભજવાશે.
