Rajkot: DY CM હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે મુલાકાત, રાજકીય ગરમાવો

રાજકોટમાં લોકાર્પણ બાદ DYCM હર્ષ સંઘવી સીધા ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઘરે પહોંચ્યા. અડધો કલાક ચાલેલી ગુપ્ત બેઠકથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 13 Jun 2026 01:07 PM (IST)Updated: Sat, 13 Jun 2026 01:08 PM (IST)
rajkot-dycm-harsh-sanghavi-naresh-patel-meeting-khodaldham-2027

Harsh Sanghavi Naresh Patel Meeting: રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કર્યા બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સીધા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દિગ્ગજો વચ્ચે અડધા કલાક સુધી બંધબારણે બેઠક ચાલી હતી. આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા થયેલી આ મુલાકાતને લઈને રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.

ડેપ્યુટી સીએમ અને નરેશ પટેલની મુલાકાત

આ મુલાકાત બાદ ધારાસભ્ય રમેશ ટીલાળાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "ડેપ્યુટી સીએમની એવી ઈચ્છા હતી કે, આપણે નરેશભાઈને ત્યાં શુભેચ્છા મુલાકાત માટે જઈએ, તેથી જ આ મુલાકાત થઈ છે. નરેશભાઈની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને હું આ મુલાકાતને કોઈ રાજકીય ચશ્માથી જોતો નથી."

naidunia_image

બીજી તરફ, નરેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હર્ષ સંઘવી માત્ર ચા-પાણી માટે આવ્યા હતા. આ માત્ર એક સામાજિક મુલાકાત હતી, આ સિવાય કોઈ રાજકીય ચર્ચાઓ થઈ નથી."

naidunia_image

કાગવડ ખાતે દશાબ્દી મહોત્સવ 2027નું આયોજન

આગામી જાન્યુઆરી 2027માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઉપલક્ષમાં ટ્રસ્ટ દ્વારા 'દશાબ્દી મહોત્સવ 2027'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 23 મેના રોજ નરેશ પટેલે રાજકોટથી માતાજીના ત્રણ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું, જે સમગ્ર ગુજરાતમાં ફરીને લોકોને આ મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ આપશે.

naidunia_image