ભાયાવદરમાં 14 સપ્ટેમ્બરથી 3 દિવસીય ભવ્ય લોકમેળો યોજાશે: ડાકણિયા ડુંગરે ખોડિયાર માના સાનિધ્યમાં રંગારંગ કાર્યક્રમો અને મ્યુઝિકલ નાઇટનું આકર્ષણ

ભાયાવદર નગરપાલિકા દ્વારા 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરાયું છે. આ ત્રણ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન રાઇડ્સ અને બે રાત્રિ મ્યુઝિકલ નાઇટ મુખ્ય આકર્ષણ રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 10 Sep 2026 03:01 PM (IST)Updated: Thu, 10 Sep 2026 03:01 PM (IST)
bhayavadar-lokmelo-14-september-khodiyar-mataji-mandir-dakaniya-dungar

Rajkot News: રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેરની ભાગોળે આવેલા પ્રસિદ્ધ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં અને ડાકણીયા ડુંગરની તળેટીમાં તારીખ 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી એમ 3 દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ભાયાવદર નગરપાલિકા દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાનું ઉદ્ધાટન તારીખ 14મી સપ્ટેમ્બરના રોજ કરાશે. તેવું જાણવા મળ્યું છે.

લોકમેળામાં શું હશે ખાસ?

આ ત્રણ દિવસીય લોકમેળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાળકો, યુવાનો માટે મનોરંજન રાઇડ્સ મુખ્ય આકર્ષણ રહેશે. મેળામાં આવતા સહેલાણીઓના મનોરંજન માટે તારીખ. 15 અને 16 એમ બે દિવસ રાત્રિ દરમિયાન ભવ્ય મ્યુઝિકલ નાઇટનું પણ ખાસ આયોજન કરાયં છે.

મેળાની તડામાર તૈયારીઓ શરુ

લોક મેળાને સફળ બનાવવા માટે હાલ ભાયાવદર નગરપાલિકાના આગેવાનો અને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળાના ગ્રાઉન્ડની સફાઈ, લાઈટિંગ, પીવાના પાણી સહિતની તમામ પ્રાથમિક સુવિઘાઓ પૂરી પાડવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

મુંબઈ સુરતથી લોકો ઉમટશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાને માણવા માટે ફક્ત સ્થાનિક લોકો જ નહી, પરંતુ મુંબઇ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, જામનગર સહિત દૂર દૂરના શહેરોમાં વસતા ભાયાવદરના લોકો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે.