Thakor Samaj: "ભાગીને લગ્ન કરવા કે મૈત્રીકરાર નામંજૂર, મરણ પ્રસંગે માત્ર કઢી-ખીચડી", જાણો ઠાકોર સમાજના 16 નવા નિયમો

પાટણમાં ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન મળ્યું હતું. જ્યાં સમાજના નવા બંધારણનું વાંચન કરી અને શપથ લેવામાં આવ્યા હતા. આ તકે સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 01 Jan 2026 11:18 AM (IST)Updated: Thu 01 Jan 2026 11:18 AM (IST)
thakor-samaj-constitution-mahasamelan-new-rules-will-be-implemented-665922
HIGHLIGHTS
  • ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાયું
  • નવા બંધારણનું વાંચન કરી શપથ લેવામાં આવ્યા
  • 4 જાન્યુઆરીએ બનાસકાંઠામાં સમાજનું મહાસંમેલન

Thakor Samaj New Rules: હાલમાં જ પાટણ ખાતે ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાયું હતું. જે અંતર્ગત નવા બંધારણનું વાંચન કર્યા બાદ, શપથ લેવામાં આવ્યા હતા. આ બંધારણ (Thakor Samaj Bandharan) હેઠળ સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા અને સભ્ય સમાજની રચના કરવા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.

ઠાકોર સમાજનું નવું બંધારણ

આ બંધારણના અમલ માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન સમિતિની રચના કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી 4 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગાડ ગામ ખાતે ઠાકોર સમાજનું મહાસંમેલન (Thakor Samaj Mahasamelan) યોજાશે. આ તકે ત્રણેય જિલ્લાના 27 તાલુકાના નવા બંધારણને વિધિવત લાગુ કરવામાં આવશે.

સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું…

આ તકે ઉપસ્થિત રહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે,"દરેક બાબત કે વસ્તુની એક હદ હોય છે. આ હદથી સમાનતા આવે છે. જેમ કે જાન કે સગાઈમાં કેટલા લોકો લઈ જવા તે બધાને લાગુ પડે. આવા નિયમથી સમાજમાં સમરસતા અને સમાનતા આવે છે. આ ઉપરાંત પ્રસંગમાં થતા વધુ ખર્ચને અટકાવી અને સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવે તો આ બચત શિક્ષણ અને સમાજ સેવામાં વાપરી શકાય છે."

નવા બંધારણના મહત્વના નિયમો

  • સગાઈમાં માત્ર 21 લોકોએ જવું, કુટુંબ કે સગા સિવાય અન્ય કોઈને આમંત્રણ નહીં.
  • સગાઈમાં નાળિયેર અને એક રૂપિયો આપવો, સગાઈ બાદ ફેટો બંધાવવાની પ્રથા બંધ
  • તમામ પ્રકારના પ્રસંગોમાં ઓઢામણા પ્રથા બંધ, લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ
  • પ્રસંગની પત્રિકા નહીં, માત્ર સાદુ કાર્ડ રાખવું
  • સનરોફ ગાડીમાં જાન લાવવાની પ્રથા બંધ, 11 થી વધુ વાહન લઈ જવા નહીં.
  • જાનમાં કુલ 100 થી વધુ વ્યક્તિ ન લઈ જવા, જાન-વરઘોડો કે મામેરામાં DJ પર પ્રતિબંધ
  • લગ્નમાં હલ્દી રસમ, એન્ટ્રી મારવા સહિતની અન્ય કોઈ રસમ બંધ કરવી
  • જમણવારમાં એક મીઠાઈ, દાળ-ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા અને પુરી.
  • જન્મદિવસની ઉજવણી બંધ, ખુશી પેટે સેવા સંસ્થામાં ફાળો આપવાનો
  • મૈત્રી કરાર અને ભાગીને પ્રેમલગ્ન કરનારને સમાજ નહીં સ્વિકારે