Girnar Lili Parikrama 2025: પરિક્રમા યાત્રીઓ માટે પશ્ચિમ રેલવેનો નિર્ણય, જૂનાગઢ-રાજકોટ વચ્ચે 'મેળા સ્પેશિયલ' ટ્રેન શરૂ કરાશે, જાણો સમય

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે, જેથી લાખો યાત્રીઓને અવરજવર માટે વિશેષ સુવિધા મળી રહે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 31 Oct 2025 11:09 AM (IST)Updated: Fri, 31 Oct 2025 11:09 AM (IST)
girnar-lili-parikrama-2025-special-train-between-junagadh-and-rajkot-announced
HIGHLIGHTS
  • આ વિશેષ ટ્રેન 1 નવેમ્બર, 2025થી 10 નવેમ્બર, 2025 સુધી (4 નવેમ્બર અને 7 નવેમ્બરના દિવસો સિવાય) નિયમિતપણે દરરોજ દોડાવવામાં આવશે.
  • આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનારક્ષિત (Unreserved) રહેશે, જેનો લાભ સામાન્ય યાત્રીઓ સરળતાથી લઈ શકશે.

Girnar Lili Parikrama 2025: જૂનાગઢમાં યોજાનારા સુપ્રસિદ્ધ ગિરનારની પરિક્રમાના મેળામાં યાત્રીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે "મેળા સ્પેશિયલ" ટ્રેન ચલાવવામાં આવશે, જેથી લાખો યાત્રીઓને અવરજવર માટે વિશેષ સુવિધા મળી રહે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વિશેષ ટ્રેન 1 નવેમ્બર, 2025થી 10 નવેમ્બર, 2025 સુધી (4 નવેમ્બર અને 7 નવેમ્બરના દિવસો સિવાય) નિયમિતપણે દરરોજ દોડાવવામાં આવશે. આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનારક્ષિત (Unreserved) રહેશે, જેનો લાભ સામાન્ય યાત્રીઓ સરળતાથી લઈ શકશે.

ટ્રેનનું સમયપત્રક

ટ્રેન નંબર રૂટ પ્રસ્થાન સમય આગમન સમય
09221 રાજકોટથી જૂનાગઢ રાત્રે 00:05 કલાકે સવારે 02:40 કલાકે
09222 જૂનાગઢથી રાજકોટ સવારે 03:35 કલાકે સવારે 07:05 કલાકે

આ સ્પેશિયલ ટ્રેન મુસાફરી દરમિયાન મુખ્યત્વે ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ જેવા સ્ટેશનો પર બંને દિશામાં રોકાણ કરશે.

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય મેળાના દિવસોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં અને લોકોને સરળતાથી જૂનાગઢ પહોંચાડવામાં મદદરૂપ થશે. યાત્રીઓને વિનંતી છે કે ટ્રેનનાં સ્ટોપેજ, સંરચના અને સમય વિશેની વધુ માહિતી માટે તેઓ ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.