Gautam Adani Family: પર્યુષણ પર્વ પૂર્વે ગૌતમ અદાણીએ પરિવાર સાથે ગુજરાતના સુપ્રસિધ્ધ મહુડી જૈન મંદિરના દર્શન કર્યા

ગાંધીનગરમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અને પુત્રવધૂ શ્રીમતી પરિધિએ જૈન ધર્મના પવિત્ર તીર્થસ્થાન મહુડીના જૈન મંદિરની મુલાકાત લીધી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 20 Aug 2026 10:39 AM (IST)Updated: Thu, 20 Aug 2026 10:39 AM (IST)
gautam-adani-family-visits-mahudi-jain-temple-in-gujarat-ahead-of-paryushan

Adani Family Visits Mahudi Jain Temple: ગાંધીનગરમાં જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ મહાપર્વ પૂર્વે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અને પુત્રવધૂ શ્રીમતી પરિધિએ આજે જૈન ધર્મના પવિત્ર તીર્થસ્થાન મહુડીના જૈન મંદિરની મુલાકાત લીધી હતી. અદાણી પરિવારે મુલાકાતની સાથે સાથે ભગવાન ઘંટાકર્ણ મહાવીરનું પૂજન અર્ચન કરીને આશીર્વાદ પ્રાપ્ત મેળવ્યા હતા.

અદાણી પરિવારે તીર્થધામ મહુડીની મુલાકાત લીધી

આ તીર્થ સ્થળની આ મુલાકાત અદાણી માટે નિસ્વાર્થ સેવાના માધ્યમ સ્વરુપે વ્યક્તિગત જોડાણ ધરાવે છે. અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ, અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકા, ગ્રામીણ વિકાસ, મહિલા સશક્તિકરણ અને સામુદાયિક માળખાગત સુવિધાઓમાં એક મૂલ્યવાન ઉમેરો કરવા શરુ કરેલી પહેલ આજે ભારતભરમાં લાખો લાભાર્થીઓ સુધી પહોંચી છે., "સેવા હી સાધના હૈ"ની તેની ફિલસૂફીમાં સમુદાયોની સેવા અને જીવન સુધારણાની તકોનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે.

શ્વેતાંબર જૈનોનું તીર્થધામ તરીકે પ્રખ્યાત મહુડી

ઐતિહાસિક રીતે મધુપુરી તરીકે ઓળખાતું મહુડી એક સુવિખ્યાત શ્વેતાંબર જૈન તીર્થસ્થાન છે. આ તીર્થમાં તમામ 24 જૈન તીર્થંકરોના મંદિરો ઉપરાંત જૈન ધર્મના રક્ષકો અને તેમાંના એક પૂજનીય શ્રી ઘંટાકર્ણ મહાવીરના અલગ મંદિર પણ છે. તીર્થંકરોથી વિપરીત ઘંટાકર્ણ મહાવીરને રક્ષણાત્મક દેવતા તરીકે આસ્થાળુઓ પૂજે છે અને મુશ્કેલ સમયમાં શક્તિ અને અવરોધોને દૂર કરવા તેમના દર્શનાર્થે જાય છે. મહૂડીમાં માત્ર જૈનો જ નહી પણ ઇત્તર કોમના હજારો શ્રધ્ધાળુઓ પણ પોતાની બાધા આખડી માટે દર્શનાર્થે જાય છે અને ત્યાંનો મશહૂર પ્રસાદ સુખડી ધરાવે છે.

મહાપર્વ પર્યુષણની શ્રદ્ધાભાવથી કરાશે ઉજવણી

8 થી 15 સપ્ટેમ્બર, 2026 સુધી શ્વેતાંબર જૈન પરંપરાના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક આ મહા પર્વ પર્યુષણની પૂરા શ્રધ્ધાભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. આ પર્વ દરમિયાન પ્રાર્થના, ઉપવાસ, આત્મ-સંયમ અને આત્મનિરીક્ષણનો સમયગાળો સંવત્સરીમાં 15 સપ્ટેમ્બરના રોજ સંપન્ન થાય છે, મિચ્છામી દૂકડમથી જાણીતા ક્ષમા યાચનાના આ દિવસે જૈનો બધા જીવોની ક્ષમા માંગે છે અને અન્યોને ક્ષમા આપે છે, તેમના કાર્યો પર ચિંતન કરે છે અને ભૂતકાળની દાદ ફરિયાદોને ત્યજી દે છે.

અદાણી પરિવારે શ્રી અજિતનાથ દેરાસરની મુલાકાત લીધી હતી.

અગાઉ આ વર્ષની શરૂઆતમાં અખાત્રિજના દિવસે અદાણી પરિવારે ઉત્તર ગુજરાતના તારંગા હિલ્સ ખાતે શ્રી અજિતનાથ ભગવાન શ્વેતાંબર જૈન દેરાસરની મુલાકાત લઇ પૂજા-અર્ચના કરી હતી.

મહુડી ખાતે તીર્થકર પ્રત્યેની અતૂટ શ્રધ્ધાની અભિવ્યક્તિ માટે આવેલા અદાણી પરિવારે શ્રદ્ધા, નમ્રતા, કરુણા, સેવા અને ક્ષમાના હેતુ સાથે આકાર પામેલા સેવા યજ્ઞ "સેવા હી સાધના હૈ" ની સંગીન સફળતા માટે આશીર્વાદ માંગ્યા હતા.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) દ્વારા પોતાના તથા ભત્રીજા અને અદાણી ગ્રીન એનર્જી લિ.ના, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી અને અન્ય લોકો પર ૧૦ ઓગસ્ટના રોજ પૂર્વગ્રહ પ્રેરીત આરોપનામું ફગાવી દેવાના ફેંસલાના થોડા દિવસો પછી ગૌતમ અદાણી દ્વારા મહુડીની મુલાકાત લેવામાં આવી છે.