Dahod: દેવગઢ બારીયામાં પાનમ નદીના બ્રિજનો એક છેડો ધોવાતા મોટી દુર્ઘટનાની ભીતિ, પુલ પર બેરિકેડ મૂકી ભારે વાહનોની અવરજવર પર રોક

સ્થાનિકોની રાવ- જો પુલને તાત્કાલિક રીપેર નહીં કરવામાં આવે, તો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 30 Aug 2025 05:19 PM (IST)Updated: Sat, 30 Aug 2025 05:19 PM (IST)
dahod-news-bridge-over-panam-river-was-closed-for-vehicular-traffic-in-devgadh-baria
HIGHLIGHTS
  • પાનમ નદી પર 50 વર્ષ પહેલા બ્રિજ બનાવાયો હતો
  • ભારે વરસાદથી બ્રિજ પરનું RCC લેવલ ઉખડી ગયું

Dahod: દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાંથી પસાર થતી પાનમ નદી પર વર્ષો પહેલા બનેલો હવે જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં ભારે વરસાદને કારણે બ્રિજનો એક છેડો ધોવાયો હોય તેમ તેનું RCC લેવલ તૂટીને બહાર આવી ગયું છે.

પાનમ નદી પર આ બ્રિજ 50 વર્ષથી પણ વધુ સમય પહેલા બનાવાયો હતો. વર્ષો જૂના આ બ્રિજમાં અગાઉ પણ અનેક જગ્યાએ RCC તૂટી જતા ખાડા પડ્યા હતા, પરંતુ પૂરતું સમારકામ હાથ ધરવામાં આવ્યું નહતું. હાલમાં પણ અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે, જે વાહનચાલકો માટે ગંભીર જોખમ ઉભું કરે છે.

હાલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાનમ નદી બે કિનારે વહે છે અને બ્રિજ પર ભારદાર વાહનોના કારણે એક છેડો બેસી જવાની શક્યતા છે. અકસ્માત ટાળવા માટે પોલીસ વિભાગે તાત્કાલિક ધોરણે બેરિકેડ મૂકી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

naidunia_image

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ઘટનાને કલાકો વીતી ગયા છતાં સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી નથી. જો તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આ બ્રિજ ગંભીરા બ્રિજ જેવી સ્થિતિમાં પહોંચી શકે છે, જે મોટી દુર્ઘટનાને આમંત્રિત કરી શકે છે.