અમદાવાદ ખાતે સ્વરા ગ્રુપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

સ્વરા ગ્રુપે અમદાવાદમાં 80મા સ્વતંત્રતા દિવસની ધ્વજવંદન સમારોહ સાથે ઉજવણી કરી, જેમાં બાળકો સહિત સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ગ્રુપના ચેરમેન કાર્તિક સોનીએ સુરક્ષિત અને સ્વસ્થ સમાજ માટે સામૂહિક પ્રયાસોનું આહ્વાન કર્યું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 16 Aug 2026 06:17 PM (IST)Updated: Sun, 16 Aug 2026 06:17 PM (IST)
swara-group-celebrated-independence-day-in-ahmedabad-a-large-number-of-people-including-children-participated

Ahmedabad News:દેશભરમાં 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્વારા ગ્રુપ દ્વારા શનિવારે ધ્વજવંદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસી ખાસ કરીને બાળકોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજના રંગોમાં સજ્જ બાળકો દ્વારા નૃત્ય અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રસંગની ઉત્સવની ભાવનામાં વધારો કરે છે.


સ્વરા ગ્રુપે શનિવારે ધ્વજવંદન સમારોહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી. સ્વરા ગ્રુપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ 80માં સ્વતંત્રતા દિવસ પર તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને ગર્વથી ત્રિરંગો ફરકાવ્યો.

આ પ્રસંગે સંબોધન કરતાં કાર્તિક સોનીએ સુરક્ષિત અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો કરવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે કોઈ પણ યોગદાન નાનું નથી અને દરેક વ્યક્તિ પોતાની રીતે રાષ્ટ્રના વિકાસમાં પોતાની ભૂમિકા ભજવી શકે છે.વર્ષ 2018માં સ્થાપિત સ્વરા ગ્રુપ પાલડી, ઉસ્માનપુરા, નવરંગપુરા, આંબાવાડી અને પરિમલ જેવા શહેરના પ્રાઇમ વિસ્તારોમાં રેસિડેન્શિયલ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરે છે. આઠ વર્ષથી પણ ઓછા સમયગાળામાં ગ્રુપે અફોર્ડબલ તેવા 2BHK એપાર્ટમેન્ટ્સથી લઈને પ્રીમિયમ 4BHK રેસિડેન્સીસ સુધીના 1,500થી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ કરીને ડિલિવર કર્યા છે.