Navodaya Vidyalaya Admission 2026-27: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માટે પ્રવેશ માટે ફોર્મ ભરવાનો 29 જુલાઈના રોજ છેલ્લો દિવસ છે. એટલે કે જેઓ હાલ ધોરણ પાંચમાં ભણી રહ્યા છે અને તેઓ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ છમાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓ ફોર્મ ભરી શકે છે.
વિના મુલ્યે શિક્ષણ પુરુ પાડવામાં આવશે
આ પણ વાંચો
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકો માટે આ શ્રેષ્ઠ તક છે. કારણ કે આની પ્રેવેશ પરીક્ષામાં મેરિટમાં આવનાર બાળકોને કોઈપણ ખર્ચ વગર શ્રેષ્ઠ શિક્ષણ ભારત સરકાર પૂરુ પાડશે.
ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?
- બાળકનું આધારકાર્ડ
- બાળકનું જન્મનું પ્રમાણ પત્ર
- જે સ્કૂલમાં ભણી રહ્યો હોય તે નિર્ધારિત ફોર્મમાં સ્કૂલના સહી સિક્કા જોઈશે.
- બાળકનો ફોટો.
- પિતાનું આધારકાર્ડ.
- વિદ્યાર્થીની સહી, (કોરા કાગળમાં સહી કરી ફોટો પાડી લેવો અપલોડ કરવાનો હોય છે)
- પિતાનો ફોટો અને તેની સહી.
જવાહર નવોદય વિદ્યાલય (JNV) એ ભારત સરકાર દ્વારા સંચાલિત નિવાસી શાળાઓનું નેટવર્ક છે, જે 1986માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ શરૂ કરવામાં આવ્યું. આ શાળાઓ ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે.
