Sunjay Kapur: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના મૃત્યુથી અનેક લોકોને આઘાત લાગ્યો છે. તેઓ 53 વર્ષના હતા. 12 જૂનના રોજ પોલો મેચ રમતી વખતે તેના મોઢામાં મધમાખીએ ડંખ માર્યો હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ થોડા સમય પછી તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતુ.
તેઓ તેમની પાછળ પત્ની પ્રિયા સચદેવ અને બાળકોને છોડી ગયા છે. ચાર વર્ષ અગાઉ તેમની લગ્નની વર્ષગાંઠ પર તેમની પત્નીએ તેમના પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. તે પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે.
સંજય કપૂરે ત્રણ લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન વર્ષ 1996માં નંદિતા મહતાની સાથે થયા હતા. વર્ષ 2000માં તેમના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ બીજા લગ્ન કરિશ્મા કપૂર સાથે થયા હતા. તેમનો સંબંધ વર્ષ 2003 થી વર્ષ 2010 સુધી ચાલ્યો અને 2016માં તેમના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ વર્ષ 2017માં તેમણે પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કર્યા. બીજી તરફ પ્રિયાએ વર્ષ 2006માં વિક્રમ ચટવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ વર્ષ 2011માં તેમના છૂટાછેડા થયા હતા. ત્યારબાદ તેણે સંજય સાથે બીજા લગ્ન કર્યા.
પ્રિયાએ વર્ષગાંઠ પર પોસ્ટ કરી હતી
ચાર વર્ષ પહેલાં પ્રિયા સચદેવે તેમના લગ્નની વર્ષગાંઠ પર તેમના પતિ પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. તેણીએ કેપ્શનમાં લખ્યું, 'લગ્નની વર્ષગાંઠની શુભકામનાઓ, મારા પ્રિય પતિ.' તને ખૂબ પ્રેમ કરું છું… મને હંમેશા ખબર હતી કે તું દોડી શકે છે, પણ આપણે સાથે ઉડીશું! તમારી સાથે જીવન હાસ્ય, આનંદ, ઉત્તેજના, સાહસ અને ગાંડપણથી ભરેલું છે!
