થોડા દર્દ તો હોતા હી હૈ ના… આંખોમાં આંસુ સાથે એક્ટિંગને અલવિદા કહેતા ઈમોશનલ થયા Thalapathy Vijay

સાઉથ સિનેમાના મેગાસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ 'જના નાયકન'ના ઓડિયો લોન્ચ દરમિયાન વિજય પોતાની લાગણી પર કાબૂ રાખી શક્યા નહીં અને ઘણા ભાવુક જોવા મળ્યા હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Mon 29 Dec 2025 10:19 AM (IST)Updated: Mon 29 Dec 2025 10:19 AM (IST)
south-cinema-thalapathy-vijay-gets-emotional-talking-about-his-last-film-jana-nayagan-663920

Thalapathy Vijay News: સાઉથ સિનેમાના મેગાસ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ 'જના નાયકન' રિલીઝ માટે તૈયાર છે. મલેશિયામાં આ ફિલ્મના ઓડિયો લોન્ચ દરમિયાન વિજય પોતાની લાગણી પર કાબૂ રાખી શક્યા નહીં અને ઘણા ભાવુક જોવા મળ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે સિનેમાની દુનિયાને અલવિદા કહેવું તેમના માટે દર્દનાક છે.

ફેન્સને પૂછ્યું- 'હવે હું શું કરું?'
ઈવેન્ટમાં ઉમટેલી વિશાળ ભીડને સંબોધતા વિજયે ખૂબ જ ઈમોશનલ સ્પીચ આપી હતી. તેમણે પોતાના ફેન્સ સાથે દિલની વાત શેર કરતા પૂછ્યું કે મને ખબર નથી કે મારે આ કહેવું જોઈએ કે નહીં, પરંતુ આ મારી છેલ્લી ફિલ્મ છે તો થોડું દર્દ તો થાય જ ને? હવે તમે જ કહો હું શું કરું?. આ ફિલ્મ રિલીઝ થયા પછી વિજય સંપૂર્ણપણે પોતાની રાજકીય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સાથે થલાપતિએ ડાન્સ પણ કર્યો હતો.

આ ઈવેન્ટ દરમિયાન મેકર્સે ફિલ્મનું ત્રીજું ગીત ‘ચેલ્લા મગલે’ રિલીઝ કર્યું હતું, જેનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે. ખાસ વાત એ છે કે વિજયે પોતે આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે, જ્યારે તેના બોલ વિવેકે લખ્યા છે. આ ગીતના વીડિયોમાં પિતા અને પુત્રીના સુંદર સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. વિજયે અનિરુદ્ધને પ્રેમથી 'મ્યુઝિકલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર' (MDS) કહીને બોલાવ્યા હતા.

ફિલ્મ થલાપતિ વિજયની આ છેલ્લી ફિલ્મ 9 જાન્યુઆરી 2026 ના રોજ વિશ્વભરમાં મોટા પાયે રિલીઝ થશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ પડદા પર વિજયની છેલ્લી ઝલક હશે. આ કાર્યક્રમમાં લોકેશ કનગરાજ, નેલ્સન દિલીપ કુમાર, એટલી અને નાસર જેવા અનેક મોટા ડાયરેક્ટર્સ અને એક્ટર્સે હાજરી આપી હતી. આ ફિલ્મમાં પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, પ્રકાશ રાજ અને પ્રિયામણિ જેવા કલાકારો સામેલ છે.