હવે Shah Rukh Khan ને મળી જાનથી મારવાની ધમકી, 50 લાખ રુપિયા માંગ્યા, 'મન્નત' ની બહાર પોલીસ સુરક્ષા ગોઠવી દેવાઈ

સલમાન ખાન બાદ હવે બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જીવ બચાવવા માટે 50 લાખ રુપિયાની માંગ પણ કરવામાં આવી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 07 Nov 2024 02:43 PM (IST)Updated: Thu, 07 Nov 2024 02:43 PM (IST)
shah-rukh-khan-gets-death-threats-after-salman-khan
HIGHLIGHTS
  • શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી
  • જીવ બચાવવા માટે 50 લાખ રુપિયાની માંગ
  • 'મન્નત' ની બહાર પોલીસ સુરક્ષા ગોઠવી દેવાઈ

Shah Rukh Khan Death Threats: બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ત્યારે હવે શાહરુખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં શાહરુખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપતો કોલ આવ્યો હતો. જીવ બચાવવા માટે 50 લાખ રુપિયાની માંગ પણ કરવામાં આવી છે. જે બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શાહરુખ ખાનના મુંબઈ સ્થિત ઘર મન્નતની બહાર પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

અહેવાલો અનુસાર શાહરૂખને છત્તીસગઢના રાયપુરના એક વ્યક્તિ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. ધમકીને પગલે પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને ધમકી આપનાર વ્યક્તિની તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસ આરોપીને શોધવા માટે રાયપુર રવાના થઈ ગઈ છે.

શાહરૂખ ખાને 2જી નવેમ્બરે પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના માત્ર 5 દિવસ બાદ જ બાદશાહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી પાછળનું કારણ બહાર આવ્યું નથી.