સલમાન ખાનથી બ્રેકઅપ પછી Aishwarya Rai કેમ ચૂપ રહી? વર્ષો બાદ પ્રેમ કહાણીનું રહસ્ય ખુલ્યું

સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પ્રેમ કહાણીની શરૂઆત ભલે સુંદર સપનાઓ સાથે થઈ હોય, પરંતુ તેનો અંત એટલો ખરાબ હતો કે તેની ચર્ચા ચારે તરફ થઈ હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 24 Oct 2025 08:36 AM (IST)Updated: Fri, 24 Oct 2025 08:36 AM (IST)
prahlad-kakkar-on-aishwarya-rai-salman-khan-break-up

Aishwarya Rai Salman Khan Love Story: સામાન્ય રીતે બોલિવૂડમાં એક્સ લવર્સ મિત્રો બની જતા હોય છે, પરંતુ સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પ્રેમ કહાણીના કિસ્સામાં એવું થયું નહોતું. સલમાનના નામથી ઐશ્વર્યાને જાણે નફરત થઈ ગઈ હતી અને જ્યારે પણ તેમનો ઉલ્લેખ આવતો, ત્યારે ઐશ્વર્યા તરત જ ત્યાંથી દૂર થઈ જતી હતી.

સલમાન અને ઐશ્વર્યાનું બ્રેકઅપ એક અત્યંત ખરાબ તબક્કા પર થયું હતું. આ દરમિયાન સલમાન ખાન પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે આ વિવાદ પછી પણ ઐશ્વર્યાએ સલમાનને લઈને ક્યારેય કોઈની સાથે વાત કરી નહોતી અને મીડિયામાં પણ આવીને તેણે કોઈ પણ નિવેદન પણ આપ્યું ન હતું.

ફિલ્મમેકર પ્રહલાદ કક્કડે કર્યો ખુલાસો

સલમાન સાથેના આટલા મોટા વિવાદ પછી પણ ઐશ્વર્યા કેમ ચૂપ રહી, તે સવાલ હંમેશા લોકોના મનમાં રહેતો હતો. હાલમાં જ ફિલ્મમેકર પ્રહલાદ કક્કડે આ મામલે એક મોટો ખુલાસો કર્યો છે. પ્રહલાદ કક્કડે ANIના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ઐશ્વર્યા ખૂબ જ પ્રાઇવેટ વ્યક્તિ છે. તે પોતાની અંગત બાબતોને જાહેર કરવામાં બિલકુલ માનતી નથી. તેને લાગે છે કે તેમનું ખાનગી જીવન ખાનગી જ રહે. તે માત્ર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરવાનું પસંદ કરતી હતી.

તેમણે આગળ જણાવ્યું કે જ્યારે સલમાન સાથે તેનો વિવાદ થયો, ત્યારે ઐશ્વર્યાએ જાહેર મંચ પર એક પણ શબ્દ ન બોલ્યો, કારણ કે આ જ તેમની ગરિમા છે. ઐશ્વર્યાને એ વાતની ખબર પડી ગઈ હતી કે તેનું મૌન જ તેની તાકાત છે. મીડિયા અને અન્ય લોકોએ તેને ઉશ્કેરવાનો અને નીચા દેખાડવાનો ઘણો પ્રયાસ કર્યો, જેથી તે થાકીને જાહેર કરી દે કે તે શું ઇચ્છે છે, પરંતુ ઐશ્વર્યાએ ક્યારેય આવું ન કર્યું.

જુઓ અહીં વીડિયો

સલમાન પર લાગેલા આરોપો

સલમાન પર એવા આરોપો લાગ્યા હતા કે તે કંટ્રોલિંગ છે અને ઐશ્વર્યાને લઈને વધારે પડતો પોઝેસિવ હતો. એટલું જ નહીં એવી પણ અફવાઓ હતી કે સલમાને કથિત રીતે ઐશ્વર્યા પર હાથ પણ ઉઠાવ્યો હતો. જોકે આ બધી વાતો માત્ર વાતો જ રહી, ન તો સલમાને ક્યારેય આ અંગે બોલ્યા કે ન ઐશ્વર્યા. જોકે પ્રહલાદ કક્કડે સલમાન વિશે વધુ કંઈ ન કહ્યું, પણ તેમણે એટલું જરૂર જણાવ્યું કે સલમાન 'ડિફિકલ્ટ' એક્ટર છે અને તેના થોડા ઇશ્યૂઝ તો રહે જ છે.

મહત્વપૂર્ણ છે કે સલમાન અને ઐશ્વર્યાની પ્રેમ કહાણીની શરૂઆત વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના સેટ પર થઈ હતી. તેઓ થોડા વર્ષો સાથે રહ્યાં, પરંતુ સલમાનના વર્તનમાં બદલાવ આવવાથી ઐશ્વર્યા દૂર થઈ ગઈ અને આખરે વર્ષ 2002માં તેમનું બ્રેકઅપ થયું.