મૃત્યુ પહેલા Shefali Jariwala પર બે વાર કાળો જાદુ થયો હતો? પતિ પરાગ ત્યાગીએ કર્યો ચોંકાવનારો દાવો

પરાગ ત્યાગીએ જણાવ્યું કે શેફાલી પર કોઈએ કાળો જાદુ કર્યો હતો. આ ઘટના એક વાર નહીં પણ બે વાર બની હતી. પ્રથમ વખત તે બચી ગઈ હતી, પરંતુ બીજી વખત પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 18 Jan 2026 04:56 PM (IST)Updated: Sun, 18 Jan 2026 04:56 PM (IST)
parag-tyagi-claims-black-magic-was-performed-on-shefali-jariwala-before-death

Shefali Jariwala Death Reason: 'કાંટા લગા' ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું ગત વર્ષે જૂન મહિનામાં અચાનક નિધન થયું હતું. હવે તેના મૃત્યુના સાત મહિના બાદ તેના પતિ અને અભિનેતા પરાગ ત્યાગીએ એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે.

શેફાલીના નિધનથી સૌ કોઈ સ્તબ્ધ
27 જૂન 2025 ના રોજ, માત્ર 42 વર્ષની વયે શેફાલી જરીવાલાનું અચાનક અવસાન થયું હતું. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. જોકે પરાગ ત્યાગી હજુ પણ તેની પત્નીના જવાથી આઘાતમાં છે અને હવે તેણે કાળા જાદુ વિશે ગંભીર દાવા કર્યા છે.

કાળા જાદુનો દાવો
તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન પરાગ ત્યાગીએ જણાવ્યું કે તેને કાળા જાદુ પર પૂરો વિશ્વાસ છે. તેણે દાવો કર્યો કે શેફાલી પર કોઈએ કાળો જાદુ કર્યો હતો. જ્યાં ભગવાન છે ત્યાં શેતાન પણ છે. લોકો પોતાના દુઃખથી એટલા દુઃખી નથી, જેટલા બીજાના સુખથી દુઃખી છે. મને પૂરી ખાતરી છે કે કોઈએ તેની પર કંઈક કર્યું હતું.

બે વાર કાળો જાદુ થયાનો અનુભવ
પરાગે વધુમાં જણાવ્યું કે આ ઘટના એક વાર નહીં પણ બે વાર બની હતી. પ્રથમ વખત તે બચી ગઈ હતી, પરંતુ બીજી વખત પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. પરાગે કહ્યું કે હું કહી શકતો નથી કે કોણે કર્યું, પણ મને ખબર છે કે કોઈએ ચોક્કસપણે કર્યું છે. આ વખતે વસ્તુઓ ઘણી ભારે હતી, જેના કારણે તે સંભાળી શકી નહીં.

શેફાલીમાં દેખાતા હતા વિચિત્ર લક્ષણો
જ્યારે પરાગને પૂછવામાં આવ્યું કે તેને આ વાતની ખબર કેવી રીતે પડી, ત્યારે તેણે કહ્યું કે શેફાલીના વર્તનમાં અને સ્વાસ્થ્યમાં અચાનક ફેરફારો આવ્યા હતા. તેને ઊંઘ ન આવવી, એન્ઝાયટી (ચિંતા), ડિપ્રેશન અને આંખોની નીચે ડાર્ક સર્કલ આવવા જેવા લક્ષણો દેખાતા હતા. પરાગે કહ્યું કે તેને અડીને પણ સમજી શકાતું હતું કે કંઈક ગડબડ છે, જેના કારણે તેણે પૂજા-પાઠ પણ વધારી દીધા હતા.

ભક્તિ અને અનુભવ પર વિશ્વાસ
પરાગ ત્યાગીના જણાવ્યા મુજબ જ્યારે તે ભક્તિમાં બેસતો ત્યારે તેને અહેસાસ થતો કે શેફાલી સાથે કંઈક અજુગતું થઈ રહ્યું છે. શેફાલી એક ખૂબ જ હસમુખી છોકરી હતી, પરંતુ આ શક્તિઓના પ્રભાવને કારણે તે બદલાઈ ગઈ હતી. પરાગે અંતમાં ભારપૂર્વક કહ્યું કે તે 100 ટકા જાણે છે કે તેની પત્નીના અચાનક નિધન પાછળ કોઈની મેલી વિદ્યાનો હાથ છે.