Karisma Kapoor Property Dispute: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 12 જૂનના રોજ અચાનક અવસાન થયું. હવે તેમની 30 હજાર કરોડ રૂપિયાની મિલકત અંગે વિવાદ ચાલી રહ્યો છે કે તેનો વાસ્તવિક માલિક કોણ છે અને કોને કેટલો હિસ્સો મળશે? કરિશ્માને સંજય કપૂરથી બે બાળકો છે - કિયાન અને સમાયરા. આ ઉપરાંત, તેમને તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવથી પણ એક બાળક છે, ઉપરાંત સંજય કપૂરની માતાનો પણ કંપનીમાં હિસ્સો છે.
સંજય કપૂરની માતાએ કર્યો દાવો
3.6 બિલિયન ડોલરના સોના કોમસ્ટાર ગ્રુપના ચેરમેન હોવાને કારણે સંજય કપૂર તેમની પાછળ અંદાજિત 30000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છોડીને ગયા છે. સોના કોમસ્ટારની વાર્ષિક બેઠક પહેલા સંજયની માતાએ એક જાહેર નિવેદન બહાર પાડીને દાવો કર્યો હતો કે તેમનો ગ્રુપમાં મોટો હિસ્સો છે અને તેથી તે મિલકતની કાનૂની વારસદાર છે. હવે સંજયની માતા રાની કપૂરે સોના કોમસ્ટાર કંપનીના હિસ્સેસારોને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જૂન મહિનામાં તેમના પુત્રના અચાનક મૃત્યુ પછી તેમના પર દબાણ લાવવામાં આવી રહ્યું છે અને તેની મિલકત હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સંજય કપૂરની પ્રોપર્ટીમાં કરિશ્માનો કેટલો હિસ્સો?
હવે પરિવારના નજીકના સૂત્રોએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કરિશ્માનો તેના પૂર્વ પતિની પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો નથી. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે કરિશ્મા પણ તેના પૂર્વ પતિના વસિયતનામામાં હિસ્સો માંગી રહી હતી. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે એવું કંઈ નથી. સૂત્રોએ વધુમાં દાવો કર્યો છે કે કરિશ્માને કોઈ પણ મિલકત સાથે કોઈ સંબંધ નથી. જોકે, કરિશ્માના બાળકો સ્વર્ગસ્થ ઉદ્યોગપતિની મિલકતના વાસ્તવિક વારસદાર છે અને તેમને તેમનો હક મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્માના સમગ્ર ધ્યાન હાલમાં તેમના બાળકોના ભવિષ્ય પર છે.
કરિશ્માએ કર્યો હતો ઘરેલું હિંસાનો કેસ
કરિશ્મા અને સંજયના લગ્ન 2003 માં એક ભવ્ય સમારોહમાં થયા હતા. જોકે બંનેએ 2014 માં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી. 2016 માં તેમના ડિવોર્સ થયા. 2016 માં કરિશ્માએ સંજય અને તેની માતા રાની કપૂર સામે ઘરેલુ હિંસાનો કેસ પણ દાખલ કર્યો હતો.
