Reeva Rachh: 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ફિલ્મની અભિનેત્રી રીવા રાચ્છ વિશે 10 રસપ્રદ વાતો

આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી રીવા રાચ્છ કોણ છે તે જાણવાની ઘણા લોકોમાં જિજ્ઞાસા છે. અહીં જાણો ગુજરાતી ફિલ્મ લાલો - કૃષ્ણ સદા સહાયતેની અભિનેત્રી રીવા રાચ્છ વિશે 10 રસપ્રદ વાતો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 11 Nov 2025 12:47 PM (IST)Updated: Mon, 17 Nov 2025 12:04 PM (IST)
gujarati-film-laalo-krishna-sada-sahayate-actress-reeva-rachh-10-amazing-things-you-didnt-know

Gujarati Film Laalo: ગુજરાતી ફિલ્મ લાલો: કૃષ્ણ સદા સહાયતે (Laalo - Krishna Sada Sahaayate) હાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે, જેના પરિણામે તે બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી રીવા રાચ્છ (Reeva Rachh) કોણ છે તે જાણવાની ઘણા લોકોમાં જિજ્ઞાસા છે. આજે, અમે અહીં ગુજરાતી ફિલ્મ 'લાલો - કૃષ્ણ સદા સહાયતે'ની અભિનેત્રી રીવા રાચ્છ વિશે 10 રસપ્રદ વાતો જણાવીશું. જે અભિનેત્રીએ પોતે એક પોડકાસ્ટમાં શેર કરી છે.

રીવા રાચ્છ કોણ છે?

એક પરિચય રીવા રાચ્છ એક પ્રતિભાશાળી ગુજરાતી અભિનેત્રી છે. તેણીનો જન્મ ભાવનગરમાં થયો હતો, જ્યારે ઉછેર જામનગરમાં થયો હતો અને મુંબઈમાં અભ્યાસ કર્યો છે. તેણીએ થિયેટર, ગુજરાતી વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનય ઉપરાંત, તેઓ એક કુશળ નૃત્યાંગના અને ઉત્તમ એન્કર પણ છે.

naidunia_image

અભિનેત્રી રીવા રાચ્છ વિશે 10 રસપ્રદ વાતો

  • થિયેટરથી શરૂઆત: રીવાએ પોતાની કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી. તેમણે 2023 માં આવેલી 'મીરા સમંદર' અને 'રામ ભરોસે' જેવી ત્રણથી ચાર ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 'રામ ભરોસે'માં તેઓ મુખ્ય અભિનેત્રી હતા.
  • પિતાનું યોગદાન: તેમના પિતા, વિરલ રાજ, જામનગરમાં છેલ્લા લગભગ 28 વર્ષથી 'થિયેટર પીપલ' નામની થિયેટર સંસ્થા ચલાવે છે.
  • ડાન્સિંગ દ્વારા કારકિર્દીનો પ્રારંભ: બાળપણમાં ડોક્ટરે તેમને ડાન્સિંગ કરાવવાની સલાહ આપતાં, તેમણે ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું. પાંચ વર્ષની ઉંમરે, તેઓ અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘની નેશનલ લેવલ કોમ્પિટિશનમાં સૌથી નાની વયના સહભાગી હતા અને તેમણે સેમી-ક્લાસિકલ પરફોર્મન્સ આપ્યું હતું.
  • એક્ટિંગનું ધ્યેય: રીવાને હંમેશા સ્ક્રીન (ફિલ્મો) પર કામ કરવાની ઈચ્છા હતી, કારણ કે તેમને નાનપણથી જ 'હિરોઇન' બનવાનું સપનું હતું. તેમણે થિયેટરને સ્ક્રીન પર કામ કરવા માટે પોતાને ઘડવાની અને કળા શીખવાની શ્રેષ્ઠ જગ્યા તરીકે 'સ્ટેપિંગ સ્ટોન' તરીકે ઉપયોગ કર્યો.
naidunia_image
  • પ્રથમ યાદગાર રોલ: પુખ્ત વિચારધારા સાથે થિયેટરમાં તેમનો પ્રથમ યાદગાર રોલ 'મારે એમને ગમવું છે' નાટકમાં એક દાસીનો હતો.
  • જામનગરનું જીવન (ફ્રી ટાઇમ): જામનગરમાં જ્યારે તેઓ ફ્રી હોય છે, ત્યારે તેઓ મોડેથી ઉઠવાનું પસંદ કરે છે અને નાસ્તામાં મનપસંદ વસ્તુઓ ન હોય તો સારું બનાવવાનું કહે છે, એકદમ શેઠાણીની જેમ આરામથી જીવે છે.
  • મુંબઈનું કલ્ચર: મુંબઈમાં તેમનું જીવન જામનગરથી તદ્દન વિપરીત હોય છે. ત્યાં તેઓ કૂક, ક્લીનર કે ડ્રાઇવર વગર પોતાનું જમવાનું બનાવે છે, વાસણ ધોવે છે, કપડાં ધોવે છે અને ઓડિશન માટે તૈયાર થાય છે. તેમને મુંબઈનું 'હસલ કલ્ચર' અને સતત ટોચ પર રહેવાની ભાવના ગમે છે.
  • અભિનયમાં પ્રાથમિકતા: તેમને કેમેરાની નજીકના સૂક્ષ્મ (સટલ) અને નેચરલ અભિનય સાથે ઇન્ટિમેટ સેટિંગમાં કામ કરવું ગમે છે, જે ફિલ્મોમાં ક્રિએટ થાય છે.
naidunia_image
  • વૈકલ્પિક કારકિર્દી: જો તેઓ અભિનેત્રી ન હોત, તો તેઓ ગંભીરતાથી એડિટિંગ શીખવા માંગતા હતા અથવા તેમને રસોઈ (કૂકિંગ) કરવાનો શોખ છે.
  • રિજેક્શન પર વિચાર: શરૂઆતમાં, મુંબઈમાં તડકામાં બે-અઢી કલાક લાઇનમાં ઊભા રહ્યા પછી માત્ર 10 સેકન્ડમાં 'નોટ ફિટ' સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થતું હતું, પરંતુ પાછળથી તેમને સમજાયું કે તે વ્યક્તિગત નથી, કારણ કે નિર્માતાઓ જે ચોક્કસ 'લુક' શોધી રહ્યા હોય તે તેમને ન મળ્યો હોય.