Karisma Kapoor: રૂપિયા 30 હજાર કરોડની સંપત્તિ માટે જંગ! કરિશ્મા કપૂરે ભૂતપૂર્વ પતિ સંજય કપુરની પ્રોપર્ટીમાં માગ્યો હિસ્સો?

સંજય કપૂરના અંતિમ સંસ્કાર 19 જૂનના રોજ દક્ષિણ દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 27 Jul 2025 09:43 PM (IST)Updated: Sun, 27 Jul 2025 09:43 PM (IST)
bollywood-karisma-kapoor-ask-for-share-in-ex-husband-sunjay-kapoor-rs-30000-crore-property
HIGHLIGHTS
  • જોકે કરિશ્માએ હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી
  • માતા રાનીએ દાવો કર્યો હતો કે સોના ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી લક્ઝરી પ્રોપર્ટીમાં તેમનો બહુમતી હિસ્સો હતો

Karisma Kapoor: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 12 જૂન, 2025ના રોજ અવસાન થયું હતુ. સંજય લંડનમાં હતો અને પોલો રમી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. સંજય કપૂરના અંતિમ સંસ્કાર 19 જૂનના રોજ દક્ષિણ દિલ્હીના લોધી રોડ સ્મશાનગૃહમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

કરિશ્માએ મિલકતમાં હિસ્સો માંગ્યો
હવે તેમના નિધન પછી એવા સમાચાર આવી રહ્યા છે કે ઉદ્યોગપતિના રૂપિયા 30,000 કરોડના સામ્રાજ્યનો કબજો કોણ લેશે. આ અંગે ઘણો વિવાદ છે. દરમિયાન એવા અહેવાલો છે કે કરિશ્માએ કંપની પાસેથી પોતાનો હિસ્સો માંગ્યો છે.

સંજય કપૂરની માતાએ પત્ર લખ્યો
જોકે કરિશ્માએ હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, સંજયની કંપની સોના કોમસ્ટાર તેની માતાના પત્ર પછી પહેલાથી જ આઘાતમાં છે.

માતા પર બળજબરીનો આરોપ
હકીકતમાં સંજયના મૃત્યુ પછી તેની માતા રાનીએ દાવો કર્યો હતો કે સોના ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી લક્ઝરી પ્રોપર્ટીમાં તેમનો બહુમતી હિસ્સો હતો. પરંતુ તે જ સમયે તેમણે શેરધારકો સાથે એક પત્ર પણ શેર કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પુત્રના મૃત્યુના શોકમાં તેમને અમુક દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી.