Sugar Price And Fact:તહેવારની સિઝનમં ખાંડની વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક્શન મોડમાં છે.વીતેલા કેટલાક દિવસોમાં સરકારે અનેક મહત્વના નિર્ણય કર્યાં છે. જોકે સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે ખાંડની કિંમતો વધવા માટે ઈથેનોલ જ જવાદાર ઠરાવી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વિપક્ષી પાર્ટીઓએ દાવો કર્યો છે કે ખાંડની કિંમતોમાં વધારો ઈથેનોલ કારણરૂપ છે.
દાવો કરવામાં આવે છે કે ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ વધવાને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. હવે આ અંગે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ પણ વાંચો
ખાંડના ભાવમાં તેજી માટે ઈથેનોલને કેમ જવાબદાર ઠરાવી શકાય નહીં
સરકાર તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખાંડ વર્તમાન સમયમાં મોંઘી થવા માટે ઈથેનોલ ઉત્પાદનને જવાબદાર ઠરાવી શકાય નહીં. ઈથેનોલ બનાવવા માટે ઉપયોગ થતી ખાંડનો હિસ્સો વર્ષ 2022-2023માં આશરે 12 ટકાથી ઘટી વર્ષ 2025-2026માં આશરે 9 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત દેશમાં બનતા ઈથેનોલનો આશરે ચોથો ભાગ અનાજ ખાસ કરીને મકાઈમાંથી તૈયાર કરવામાં આવે છે.
આ સાથે જ સરકારે કહ્યું છે કે ઈથેનોલ પ્રોગ્રામ ખાંડ મિલોની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરે છે. 20 ઓગસ્ટ 2026 સુધીમાં વર્ષ 2025-2026 સિઝન માટે શેરડી ઉત્પાદક ખેડૂતોના 97 ટકા બાકી રકમની ચુકવણી કરવામાં આવ્યા છે. વર્ષ 2014થી 2021 વચ્ચે ખાંડ ઉદ્યોગને આશરે રૂપિયા 14,600 કરોડની સબસિડી આપી હતી, જ્યારે વર્ષ 2021-2022 બાદ એવી કોઈ સબસિડી જાહેર કરી નથી.
સરકારે કહ્યું છે કે ખાંડની કિંમતોમાં વર્તમાન વધારો અનેક કારણો માટે જવાબદાર છે. આ ઉપરાંત એવી આશાથી ઓછા ઘરેલુ ઉત્પાદન, તહેવારોની મૌસમથી અગાઉ વધતી માંગ, હવામાનને લીધે શેરડીના પાકને નુકસાન મુખ્ય કારણ છે. આ ઉપરાંત વિશ્વભરમાં ખાંડના સપ્લાઈમાં ઘટાડો અને ઉદ્યોગ જગતના કેટલાક હિસ્સા દ્વારા સટ્ટાબાજીને લીધે ખાંડની કિંમત વધી રહી છે. આ સ્પષ્ટતા એવા સમયે આવી છે કે જ્યારે છૂટક ખાંડની કિંમત પ્રતિ કીલો રૂપિયા 70 પહોંચી ગઈ છે.
