AMNS પારાદીપ લોજિસ્ટિક્સને પારાદીપ પોર્ટ પર 30 વર્ષ માટે કેપ્ટિવ ડ્રાય બલ્ક બર્થનો કન્સેશન એવોર્ડ એનાયત

ઓડિશાના પારાદીપ સ્થિત બિજુ કન્વેન્શન ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં ભારત સરકારના બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા AM/NS ઈન્ડિયાના કોર્પોરેટ અફેર્સના પ્રમુખ દીપક અરોરાને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 29 Aug 2026 07:27 PM (IST)Updated: Sat, 29 Aug 2026 07:27 PM (IST)
amns-paradip-logistics-awarded-30year-concession-for-captive-dry-bulk-berth-at-paradip-port

Green Logistics: ભારત સરકારની દરિયાકાંઠાના શિપિંગને ઇંધણ કાર્યક્ષમ, કરકસરયુક્ત અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાની નીતિને અનુરૂપ પારાદીપ પોર્ટ ઓથોરિટી (PPA) એ AM/NS ઇન્ડિયાના SPV, AMNS પારાદીપ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (APLPL) ને 10 MTPA ક્ષમતાના કેપ્ટિવ ધોરણે ડ્રાય બલ્ક કાર્ગોના હેન્ડલિંગ માટે CQ III બર્થના યાંત્રીકરણ માટે ઔપચારિક રીતે કન્સેશન એવોર્ડ આપ્યો છે.

21 ઓગસ્ટ, 2026ના રોજ ઓડિશાના પારાદીપ સ્થિત બિજુ કન્વેન્શન ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં ભારત સરકારના બંદરો, જહાજવ્યવહાર અને જળમાર્ગ મંત્રાલયના કેબિનેટ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા AM/NS ઈન્ડિયાના કોર્પોરેટ અફેર્સના પ્રમુખ દીપક અરોરાને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.

30 વર્ષો માટે આપવામાં આવેલી આ છૂટથી માલસામાનની અવરજવર વધુ સરળ બનશે, AM/NS India ની કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને પર્યાવરણીય અનુકૂળતા પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ વ્યવસ્થા APLPL ને AM/NS ઈન્ડિયાના પેલેટ પ્લાન્ટ સંકુલથી PPA પરના બર્થ સુધી સીધી જોડાયેલી સંપૂર્ણ યાંત્રિક કન્વેયર સિસ્ટમ દ્વારા આયર્ન ઓર પેલેટના શિપમેન્ટને સંભાળવામાં પણ સક્ષમ બનાવશે.

AM/NS India દ્વારા પારાદીપથી હજીરા સુધી લોખંડના અયસ્કના પેલેટ્સ દરિયાઈ માર્ગે લઇ જવા એ પરિવહનનું એક પ્રમાણિત અને પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ માધ્યમ છે. CQ III બર્થનો અંગત ઉપયોગ માત્ર AM/NS ઈન્ડિયાના લાંબા ગાળાના વિકાસને સમર્થન આપવાની સાથે કંપનીની મજબૂત અને પર્યાવરણ-અનુકૂળ સપ્લાય ચેઈન પાઈપલાઈનમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે પણ કામ કરશે.

આ એવોર્ડ AM/NS ઈન્ડિયાની લોજિસ્ટિક્સ ક્ષમતાઓ વધારવાની અને બંદરની કામગીરીને આધુનિક બનાવવાની સફરમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ સિદ્ધિ પરાદીપને વૈશ્વિક દરિયાઈ પ્રવેશદ્વાર તરીકે વિકસાવવા માટેની AM/NS ઈન્ડિયાની કામગીરીમાં શ્રેષ્ઠતા, નવીનતા અને ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર સ્થાપિત કરે છે.

આ પ્રસંગે ઓડિશા સરકારના ઉદ્યોગ, કૌશલ્ય વિકાસ અને તકનીકી શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) સંપદ ચંદ્ર સ્વૈન, જગતસિંહપુરના સાંસદ વિભુ પ્રસાદ તરાઈ, પારાદીપ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ પીએલ હરનાધ (IRTS), પારાદીપ પોર્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ ટી વેણુ ગોપાલ, AM/NS ઈન્ડિયાના ઓડિશા ઓપરેશન્સના પ્રમુખ યુએસઆર રાજુ તેમજ PPAના વરિષ્ઠ અધિકારીઓ અને પારાદીપના અન્ય કોર્પોરેટ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.