પનીર ખાવું આમ તો સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ વધારે પડતા તેના સેવનથી બ્લડ પ્રેશર વધી જાય છે. આથી હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ તેનું સેવન ઓછું કરવું જોઈએ.
જો કોલેસ્ટ્રૉલ લેવલ વધેલું છે અથવા હાર્ટ સબંધી કોઈ બીમારી હોય, તો પનીરનું સેવન કરવાનું ટાળો, કારણ કે તેમાં ફેટનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે.
જો ગેસ તેમજ બ્લોટિંગની સમસ્યા છે, તો પનીરનું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે પનીરમાં ભરપુર પ્રોટીન હોય છે, જે તમારી સમસ્યા વધારી શકે છે.
જો તમને કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન છે, તો કાચુ પની ખાવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી સમસ્યા વધારે વકરી શકે છે.
જો પાચનની સમસ્યા છે, તો રાતે પનીરનું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી એસીડિટીની સમસ્યા વધી શકે છે.
પીરિયડ્સ દરમિયાન પનીર, ક્રીમ વગેરેનું સેવન કરવાનું ટાળો. હકીકતમાં પનીરમાં એરાકિડોનિક એસિડ હોય છે, જે પીરિયડ્સ ક્રેમ્પ્સને વધારી શકે છે.