કેરી કોણે ન ખાવી જોઈએ?


By Smith Taral26, May 2024 12:59 PMgujaratijagran.com

ઉનાળામાં સૌથી વધું આપણને કેરી ખાવાનો ઉત્સાહ હોય છે, મીઠી મધ જેવી કેરી હોય કે પછી તેનો રસ હોય કે મિલ્કશેક, આપણને આ ખાવામાં અનેરો આનંદ આવે છે. પરતું કેટલાક લોકો માટે કેરી અથવા કેરીના ઉપયોગથી બનેલી વસ્તુઓ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. આવો જાણીએ શા માટે આ લોકો એ કેરી ખાવાનું ટાળવું જોઈએ

મેદસ્વીતા

કેરીમાં કેલરીનું પ્રમાણ મોટી માત્રામાં હોય છે જેના લીધે પેટની ચરબી પણ વધે છે. જો તમારું વજન પહેલેથી જ વધારે છે તો તમારે કેરી ખાવાનું ટાળવું જોઈએ.

ઝાડા ની સમસ્યા

કેરીમાં ફાઈબરનું પણ ખૂબ વધારે હોય છે, જો તમને ડાયેરીયા જેવી તકલીફ રહેતી હોય તો તમારે કેરી ખાવાથી બચવું જોઈએ

ડાયાબિટીસમા

100 ગ્રામ કેરીમાં લગભગ 14 ટકા શુગર હોય છે, માટે ડાયાબિટીસ ધરાવતા લોકોને કેરીનું વધું સેવન ન કરવું જોઈએ તે તમારા શરીરમાં સુગરનું લેવલ વધારી શકે છે.

ખીલ થઈ શકે છે

મોટી માત્રામાં કેરી ખાવાથી ફોડલીઓ અને ખીલની સમસ્યા પણ વધી શકે છે. કેરીનો સ્વભાવ ખૂબ જ ગરમ હોય છે. જો તમે વધુ પડતી કેરી ખાવ છો તો તમને ત્વચા પર પિમ્પલ્સ અને બોડીમાં પર ફોલ્લીઓ થઈ શકે છે.

પાચનમા તકલીફ

વધુ માત્રામાં કેરીનુ સેવન કરવાથી પાચનતંત્રને નુકસાન થાય છે. ક્યારેક વધુ પડતી કેરી ખાવાથી પેટમાં રહેલા સારા બેક્ટેરિયાને નુકસાન થાય છે. તેનાથી પાચન શક્તિ નબળી પડી શકે છે.

લેટેક્ષથી એલર્જી

કેરીમાં જોવા મળતા પ્રોટીન લેટેક્સ જેવા જ હોય છે, અને ઘણા લોકોને લેટેક્ષથી એલર્જી હોય છે, આવામાં તમે જો કેરી ખાવ છો તો તમને શરીરના જુદા જુદા ભાગોમાં પાણીયુક્ત ફોલ્લીઓ થઈ શકે છે.

દરરોજ જીરાનું પાણી પીવાથી મળે છે આ અદ્ભૂત સ્વાસ્થ્ય લાભો