ઘી કે તેલ: ભગવાન સમક્ષ શેનો દીવો પ્રગટાવવો શુભ?- દૂર કરો કન્ફ્યૂઝન
By Sanket M Parekh
2023-04-28, 16:13 IST
gujaratijagran.com
દીવો પ્રગટાવવાના ફાયદા
જો તમે ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવો છો, તો ઘરથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને પોઝિટિવ એનર્જી આવે છે. આ સાથે ઘરના સભ્યો વચ્ચે સંપ વધે છે.
ઘીનો દીવો શુભ
ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી દેવતા અને માતા લક્ષ્મીનો વાસ થાય છે. જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે.
ઘીના દીવાથી થતા ફાયદા
ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરનો વાસ્તુ દોષ ખતમ થાય છે.
બન્ને દીવા પ્રગટાવી શકાય
ભગવાન સમક્ષ ઘી અથવા તેલ બન્ને પ્રકારના દીવા પ્રગટાવી શકાય છે. જે માત્ર તમારી આસ્થા પર નિર્ભર કરે છે.
તેલનો દીવો
મનોકામના પૂર્ણ કરવા માટે તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. તેલનો દીવો પ્રગટાવતા સમયે લાંબી દિવેટ જ ઉપયોગમાં લો.
કંઈ દિશામાં પ્રગટાવવો
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, દીવો પ્રગટાવીને તેને પશ્ચિમ દિશામાં જ રાખો. આવું કરવાથી તમે પોતાની તરફ પોઝિટિવ એનર્જીને આકર્ષિત કરશો.
તેલના દીવાના ફાયદા
સરસો અથવા તેલનો દીવો શનિની પીડામાંથી મુક્તિ માટે પ્રગટાવવામાં આવે છે. તેલનો દીવો પ્રગટાવવો પણ ઘણો શુભ મનાય છે.
ઘરે બેઠા આ સરળ ટિપ્સથી કરો પ્રેગ્નેન્સી ટેસ્ટ, થોડી મિનિટોમાં મળી જશે રિઝલ્ટ
Explore More