Diabetes Control: ડાયાબિટીસના દર્દીઓએ ખાલી પેટ શું પીવું જોઈએ?


By Vanraj Dabhi13, Jan 2025 09:47 AMgujaratijagran.com

ડાયટ ચાર્ટ

ડાયાબિટીસના દર્દીઓએ આહાર અને દવા બંનેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી સુગર લેવલ કંટ્રોલમાં રહે. ચાલો જાણીએ કે ડાયાબિટીસના દર્દીઓએ ખાલી પેટે શું પીવું જોઈએ?

ડાયાબિટીસની સમસ્યા

વ્યસ્ત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે શરીરમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય તો તેને ડાયાબિટીસ કહેવાય છે.

ખાલી પેટ પર શું પીવું?

ડાયાબિટીસના દર્દીઓએ તેમના દિવસની શરૂઆત સારા અને હેલ્ધી ફૂડથી કરવી જોઈએ, જેથી સુગર લેવલ ન વધે.

મેથી દાણા વાળું પાણી

ડાયાબિટીસવાળા લોકોએ રોજ ખાલી પેટ મેથીના દાણા વાળું પાણી પીવું જોઈએ.

મેથીમાં ફાઇબર

મેથીના દાણા વાળા પાણીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તેમાં હાઈ ફાઈબર હોય છે, જે શુગરને વધતી અટકાવે છે.

આ રીતે બનાવો

રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને બીજા દિવસે સવાર સુધી પલાળી રાખો.

ખાલી પેટ પર પીવો

સવારે ઉઠ્યા બાદ સૌપ્રથમ પાણીને થોડું ઉકાળીને પછી તેને ગાળી આ પાણી પીવો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પેટમાં ગેસ થાય ત્યારે તમે પણ FARTSને પરાણે રોકી રાખો છો? જાણી લો તેના નુકસાન