બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલી સાથે વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજના આશ્રમ ખાતે પહોંચી હતી.
અહીં દંપતીએ મહારાજના ચરણોમાં નમન કર્યું અને આશીર્વાદ લીધા. જ્યારે મહારાજજીએ તેમને પૂછ્યું, શું તમે ખુશ છો?
વિરાટ અને અનુષ્કાએ હસીને હા પાડી, ત્યારબાદ પ્રેમાનંદજીએ તેમને મનમાંથી બધા નકારાત્મક વિચારો દૂર કરવા માટે ઉપદેશ આપ્યો અને કહ્યું કે, તેમારે ભગવાનનું નામ જપતા રહેવું જોઈએ.
ઉપદેશ સાંભળતી વખતે, અનુષ્કા ઊંડા વિચારોમાં ખોવાયેલી હોય તેવું લાગતું હતું. તેના ચહેરા પર મુશ્કેલી સ્પષ્ટ દેખાતી હતી.
અનુષ્કાએ પોતાની સમસ્યાનો ઉલ્લેખ તો નહોતો કર્યો, પણ પ્રેમાનંદજીને એક પ્રશ્ન ચોક્કસ પૂછ્યો કે બાબા, શું ફક્ત નામનો જાપ કરવાથી જ આ થઈ જશે?
જવાબમાં મહારાજે કહ્યું કે, હા બિલકુલ, અમે આ અમારા જીવનના અનુભવ પરથી કહી રહ્યા છીએ. આપણે ચારેય યોગોમાં પ્રવેશ કર્યો છે - સાંખ્યયોગ, અષ્ટાંગયોગ, કર્મયોગ અને ભક્તિયોગ.
અમે 20 વર્ષથી સન્યાસી છીએ. ભગવાન શિવથી શ્રેષ્ઠ કોઈ યોગી નથી. સન્યાસીની બુદ્ધિ તાર્કિક હોય છે.
વિશ્વાસ સાથે કહીએ છીએ કે, જો તમે રાધા રાધાનો જાપ કરશો, તો તમે આ જન્મમાં જ ભગવાનને પ્રાપ્ત કરશો. આ સંપત્તિ મેળવવી એ આશીર્વાદ નથી, તે એક પુણ્ય છે. તેને તમારું જીવન બનાવો.
પ્રેમાનંદજીના શબ્દો સાંભળીને અનુષ્કા ખૂબ જ ભાવુક થઈ ગઈ. દંપતીએ તેમના આશીર્વાદ લીધા અને ચાલ્યા ગયા.