ઘરમાં કેવા પ્રકારના ફોટા ન લગાવવા જોઈએ?


By Vanraj Dabhi27, Jun 2025 12:02 PMgujaratijagran.com

ઘરમાં ફોટા

વાસ્તુશાસ્ત્ર ઘરમાં રાખેલી દરેક વસ્તુ વિશે જણાવે છે. તો ચાલો વિગતવાર જાણીએ કે ઘરમાં કેવા પ્રકારનો ફોટો ન રાખવો જોઈએ?

કેવા પ્રકારના ફોટા

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં ક્યારેય હિંસક પ્રાણીઓના ફોટા ન લગાવવા જોઈએ. આવું કરવું ઘર માટે યોગ્ય માનવામાં આવતું નથી.

વહાણ અથવા હોડીના ફોટા

તમારે ક્યારેય તમારા ઘરમાં ડૂબતા વહાણ કે હોડીના ફોટા ન લગાવવા જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.

મહાભારત યુદ્ધના ફોટા

વાસ્તુશાસ્ત્ર અનુસાર, મહાભારત યુદ્ધના ફોટા ઘરમાં ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં તણાવ અને અશાંતિ થઈ શકે છે.

કબર અથવા સમાધિના ફોટા

ઘરમાં ક્યારેય કબર કે સમાધિનો ફોટા ન લગાવવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

ઉદાસ ચહેરાના ફોટા

તમારા ઘરમાં ક્યારેય રડતા બાળકો કે ઉદાસ ચહેરાઓના ફોટા ન લગાવો. આનાથી તમારા ઘરમાં નકારાત્મક કે ઉદાસીની લાગણી આવે છે.

ખંડેર અથવા સાપના ફોટા

આપણે ક્યારેય પણ આપણા ઘરમાં ખંડેર કે સાપના ફોટ ન લગાવવા જોઈએ. આનાથી તમને પૈસાનું નુકસાન થઈ શકે છે.

લાલ રંગની ફ્રેમનો ઉપયોગ કરશો નહીં

ઘણી વાર આપણે ઘરમાં ફેમિલી ફોટો લગાવીએ છીએ, તમારે ક્યારેય લાલ રંગની ફ્રેમનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવું ઘર માટે યોગ્ય માનવામાં આવતું નથી.

અષાઢી બીજના દિવસે આ 5 રાશિઓને થશે મોટો ફાયદો