Bhai Dooj 2024: ભાઈબીજ પર બહેને ભાઈને કેવું તિલક લગાવવું શુભ છે?


By Sanket M Parekh01, Nov 2024 04:08 PMgujaratijagran.com

હિન્દુ ધાર્મિક માન્યતા

હિન્દુ ધર્મમાં ભાઈબીજનું વિશેષ મહત્ત્વ હોય છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજની તિથિએ ભાઈબીજનો પર્વ મનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ ભાઈ-બીજ પર કેવું તિલક લગાવવું શુભ મનાય છે.

કુમકુમ તિલક

ભાઈબીજ પર ભાઈને કુમકુમ અર્થાક કંકુનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. જેનાથી ભાઈના જીવનમાં સફળતાના માર્ગ ખુલે છે.

ભાગ્યનો સાથ મળશે

ભાઈબીજ પર ભાઈને કુમકુમનું તિલક લગાવવાથી તેને ભાગ્યનો સાથ મળે છે અને ભાઈનો સૂર્ય મજબૂત બને છે.

હળદરનું તિલક

ભાઈબીજના દિવસે ભાઈને હળદરનું તિલક લગાવવું પણ શુભ માનવામાં આવે છે. જેનાથી શારીરિક દોષ દૂર થાય છે અને ભાઈનો ગુરુ ગ્રહ મજબૂત બને છે.

ચંદનનું તિલક

ભાઈબીજ પર ભાઈને ચંદનનું તિલક પણ લગાવી શકાય છે. જેનાથી ભાઈની કુંડળીમાં રાહુ ગ્રહ મજબૂત બને છે અને જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે.

અપાર સફળતા

ભાઈબીજ પર ભાઈને ચંદનનું તિલક લગાવવાથી તેને જીવનમાં અપાર સફળતા હાંસલ થાય છે. ભાઈ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે છે.

કેસર તિલક

ભાઈબીજે ભાઈને કેસર તિલક પણ લગાવી શકો છો. કેસરના તિલકને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. જેનાથી ભાઈની બુદ્ધિનો વિકાસ થાય છે.

દરરોજ લોટનો દીવો કરવાથી શું થાય છે?