ભારતમાં IAS અધિકારી બનવું લાખો યુવાનોનું સ્વપ્ન હોય છે. દર વર્ષે લાખો ઉમેદવારો સંઘ લોક સેવા આયોગ (UPSC)ની સિવિલ સેવા પરીક્ષા આપે છે, જેથી તેઓ આ પ્રતિષ્ઠિત પદ મેળવી શકે.
એક IAS અધિકારીના કામ, જીવનશૈલી અને પગારને લઈને સામાન્ય લોકોમાં હંમેશા ઉત્સુકતા જળવાઈ રહે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે એક IAS અધિકારીને કેટલી સેલેરી મળે છે. ચાલો આ વિશે જાણીએ.
ભારતમાં IAS અધિકારીઓનો પગાર 7મા પગાર પંચની ભલામણો અનુસાર નક્કી થાય છે. પગારમાં બેઝિક સેલેરી ઉપરાંત ઘણા ભથ્થાં (એલાઉન્સ) પણ સામેલ હોય છે. આમાં મોંઘવારી ભથ્થું (DA), મકાન ભાડા ભથ્થું (HRA), યાત્રા ભથ્થું (TA), અને અન્ય વિશેષ ભથ્થાં વગેરે સામેલ હોય છે.
એક નવા IAS અધિકારીને શરૂઆતમાં દર મહિને 56,100 રૂપિયાનો બેઝિક પગાર મળે છે.
તમામ ભથ્થાંનો સમાવેશ કરીને તેમનો કુલ શરૂઆતનો પગાર દર મહિને લગભગ 1 લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે.
કારકિર્દીના ઉચ્ચતમ સ્તરે, એટલે કે કેબિનેટ સચિવ જેવા શીર્ષ પદ પર, એક IAS અધિકારીનો પગાર દર મહિને 2,50,000 રૂપિયા સુધી હોઈ શકે છે.