Eating With Hands: ચમચી-કાંટા છોડો, હાથથી જમો; શરીરને થશે જાદુઈ લાભ


By Sanket M Parekh05, Oct 2025 03:25 PMgujaratijagran.com

હાથથી જમવું

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી હાથ વડે ભોજન જમવાની પરંપરા રહી છે. જો કે આજના સમયમાં કેટલાક લોકો ખાવા માટે ચમચી કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે.

હાથથી જમવાના ફાયદા

આજે અમે આપને જણાવીશું કે, જો તમે હાથથી જમશો, તો તેનાથી તમારા શરીર અને સ્વાસ્થ્યને કેવા ફાયદા મળી શકે છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ, જેથી આપને સચોટ માહિતી મળી રહે

પાચન સુધારે

જે લોકો સતત પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહે છે, તેમણે તો હાથથી જ ભોજન કરવું જોઈએ. જેનાથી તેમનું પેટ થોડા જ દિવસોમાં સારું થઈ જશે.

શરીરને એનર્જી મળે

હાથથી ભોજન કરવાથી આકાશ, હવા, અગ્નિ, પાણી અને પૃથ્વી જેવા પાંચ તત્વોનું સંતુલન જળવાઈ રહે છે. જેના પરિણામે શરીરને એનર્જી મળે છે.

તન અને મન બન્ને સ્વસ્થ રહે

જ્યારે તમે હાથથી ભોજન કરો છો, ત્યારે જરૂરી એન્ઝાઇમ્સ મળી જાય છે. જરૂરી એન્ઝાઇમ્સ મળવાથી તમારું તન અને મન બંને સ્વસ્થ રહે છે.

સ્નાયુઓની કસરત

હાથથી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેનાથી સ્નાયુઓની કસરત થતી રહે છે. સ્નાયુઓની કસરત થવાથી શરીર નિરુગી રહે છે.

હાથ સાબુથી ધોવા

જો તમે પણ હાથથી જમી રહ્યા હોવ, તો એક વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે, જમતા પહેલા તમારા હાથને સાબુથી વ્યવસ્થિત ધોવો. નહીંતર તમે બીમાર પડી શકો છો.

ભોજન લિમિટમાં લેવું

હાથ ધોવા ઉપરાંત એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે, ભોજન મર્યાદામાં અર્થાત લિમિટમાં જ ખવાય. વધુ પડતું ખાવાથી પણ તમારી તબિયત બગડી શકે છે.

આ લોકોએ ગુલકંદ ચોક્કસ ખાવું જોઈએ