શિયાળાની સિઝનમાં ઈન્ફેક્શનથી બચવા માટે લસણ ખાવું ફાયદેમંદ મનાય છે. જેમાં રહેલા એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી એલર્જીક જેવા ગુણ મળી આવે છે. જે વાઈરલ બીમારીઓથી બચાવવામાં મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ શિયાળામાં લસણ ખાવાથી શું ફાયદો થાય?
શિયાળાની સિઝનમાં ઈમ્યૂનિટી નબળી પડી જાય છે. એવામાં તમે લસણનું સેવન કરી શકો છો. આ માટે તમે લસણને મધની સાથે પણ ચાવી શકો છો.
આ સિઝનમાં શરદી-ઉધરસ થવાનો ખતરો વધી જાય છે. જેનાથી બચવા માટે લસણની બે કળીને કાચી ચાવી જાવ. શરદી-ખાંસીમાં તાત્કાલિક આરામ મળશે.
શિયાળામાં હ્રદય સબંધિત બીમારીનો ખતરો વધી જાય છે. હાર્ટનું સ્વાસ્થ્ય તમારા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર નિર્ભર રહે છે. એવામાં લસણ ખાઈને તમે તમારા હાર્ટને હેલ્ધી રાખી શકો છો.
લસણનું સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે. જેનાથી તમારી હાઈપર ટેન્શનની સમસ્યા પણ દૂર થઈ શકે છે.
લસણનું સેવન બ્લડ સુગરના લેવલને પણ કંટ્રોલ કરે છે. જેમાં રહેલા ગુણ ઠંડીની સિઝનમાં થતા સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ રહે છે.