દૂધ સાથે ગોળ અને ચણા ખાવાથી શું થાય છે?


By Vanraj Dabhi03, Feb 2025 12:32 PMgujaratijagran.com

દૂધ-ગોળ અને ચણા

તંદુસ્ત સ્વાસ્થ્ય રાખવા માટે આપણે આહારમાં ઘણી બધી આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ. આમાંથી એક છે ગોળ અને ચણાનું સેવન. પરંતુ શું તમે જાણો છો કે આ મિશ્રણ દૂધ સાથે પણ ખાવામાં આવે છે.

નિંષ્ણાત અભિપ્રાય

આજે આપણે ડાયટિશિયન નંદિની પાસેથી જાણીશું કે ચણા અને ગોળને દૂધ સાથે ખાવાથી શું થાય છે.

ગોળ, ચણાના પોષક તત્ત્વો

ગ્લુકોઝ, ફોસ્ફરસ, આયર્ન, સુક્રોઝ અને કેલ્શિયમથી ભરપૂર ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ ચણામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

દૂધના પોષક તત્ત્વો

તેમાં વિટામિન-ડી, વિટામિન-એ, વિટામિન-બી, કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે.

એક સાથે ખાવાના ફાયદા

આ ત્રણેયનું એકસાથે સેવન કરવાથી શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આમાં રહેલા ગુણો વ્યક્તિને શરીર સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.

હાડકાં મજબૂત કરે છે

જો તમે શેકેલા ચણા અને ગોળને દૂધ સાથે ખાઓ તો તે હાડકાંને સ્વસ્થ અને મજબૂત કરે છે. જે સાંધાના દુખાવાથી છુટકારો આપે છે.

પાચન સુધારે

ચણા અને ગોળનું દૂધ સાથે સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

જો તમે તમારા આહારમાં ગોળ, ચણા અને દૂધનો સમાવેશ કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

શરીરમાં ઊર્જા

આ મિશ્રણમાં રહેલા ગુણ શરીરમાં નબળાઇને દૂર કરીને એનર્જી લેવલ વધારે છે.

ડૉક્ટરની સલાહ

શરીર સંબંધિત સમસ્યાઓમાં, ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લીધા પછી જ આ મિશ્રણનું સેવન કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પેશાબ કરતી વખતે બળતરા થાય તો શું કરવું જોઈએ?