રોજ ભોજનમાં લીલા મરચાંનું અથાણું ખાવાથી શું ફાયદા મળે?


By Vanraj Dabhi02, Aug 2025 01:45 PMgujaratijagran.com

લીલા મરચાંનું અથાણું

લીલા મરચાંનું અથાણું માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તેમાં રહેલા વિટામિન-સી, ફાઇબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ જેવા પોષક તત્વો શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ પૂરા પાડે છે.

અથાણાના ફાયદા

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો લીલા મરચાનું અથાણું તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમાં રહેલા ફાઇબર અને વિનેગર શરીરની ચરબી ઘટાડે છે.

મેટાબોલિઝમ ઝડપી બને

મરચાંનું અથાણું ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે, જે મેટાબોલિઝમને ઝડપી બનાવે છે. આ શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

લીલા મરચામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરદી અને ખાંસી જેવા રોગો સામે રક્ષણ આપે છે.

પેટની સમસ્યાઓથી રાહત

તેમાં જોવા મળતા એન્ટી-ઇન્ફ્લેમેટરી અને કર્ક્યુમિન જેવા તત્વો આંતરડા માટે ફાયદાકારક છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે, જેનાથી પેટની સમસ્યાઓ ઓછી થાય છે.

સારા બેક્ટેરિયામાં વધારે છે

લીલા મરચાંનું અથાણું શરીરમાં સારા બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે, જે તમારા આંતરડાને સ્વસ્થ રાખે છે અને પેટ ફૂલવાની કે ગેસની સમસ્યા થતી નથી.

મર્યાદિત માત્રામાં સેવન

લીલા મરચાનું અથાણું સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ જો તેને વધુ પડતું ખાવામાં આવે તો તે પેટમાં બળતરા અને દુખાવા જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

લીલા મરચા કેટલા ખાવા?

દિવસમાં 1 થી 2 ટુકડા મરચાંના અથાણા ખાવા યોગ્ય માનવામાં આવે છે. આનાથી વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે, ખાસ કરીને ગરમ શરીરવાળા લોકો માટે.

ખાલી પેટે બીલીપત્ર ચાવવાથી શું થાય છે? જાણો તેના ફાયદા