ઘણા લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે ઘી વાપરતાં હોય છે, જ્યારે ઘણા લોકો તેનો ઉપયોગ ઔષધી તરીકે કરે છે.
આજે આપણે ડાયેટિશિયન નંદિની જી પાસેથી જાણીશું કે, સવારે ખાલી પેટ ગરમ પાણીમાં ઘી મિક્ષ કરીને પીવાથી શું થાય છે.
રોજ ખાલી પેટે નવશેકા પાણી સાથે ઘીનું સેવન કરવાથી ચયાપચયની ક્રિયા ઝડપી બને છે.
જો કબજિયાતની ગંભીર સમસ્યા હોય તો, મલાસનની સ્થિતિમાં બેસીને સવારે ખાલી પેટે ગરમ પાણીમાં ઘી મિક્ષ કરીને સેવન કરો.
જો તમે વજન ઓછું કરવું હોય તો તમે સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે ઘીનું સેવન કરો.
ખાલી પેટે ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવાથી પેટની ચરબી ઓછી થાય છે અને શરીરની એનર્જીમાં પણ વધારો થાય છે.
ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવાથી મગજનું સ્વાસ્થ્ય સુધરે છે અને યાદશક્તિને વધારે છે.
ઘીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે.
આ સિવાય ખાલી પેટે હુંફાળા પાણી સાથે ઘીનું સેવન કરવાથી આંખો સ્વસ્થ રહે છે, શરીર ડિટોક્સ થાય છે, હૃદય સ્વસ્થ રહે છે અને ત્વચા પણ સ્વસ્થ રહે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.