Antibiotics Side Effects: એન્ટી બાયોટિક લેવાથી શું નુકસાન થાય?


By Sanket M Parekh25, Jun 2025 03:34 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

ઘણીવાર સામાન્ય તાવ કે બીમારીમાં એન્ટિબાયોટિક્સ લેવાનું યોગ્ય માનવામાં આવે છે. એન્ટિબાયોટિક્સ એવી દવાઓ છે, જે બેક્ટેરિયા સામે લડે છે, પરંતુ તે શરીર પર નકારાત્મક અસર પણ કરી શકે છે. ચાલો ડૉ. સમીરજી પાસેથી જાણીએ કે, એન્ટિબાયોટિક્સ લેવાથી શરીરને શું નુકસાન થાય?

પાચનતંત્ર પર અસર

એન્ટિબાયોટિક્સ સારા બેક્ટેરિયાને મારી નાખે છે. આનાથી પેટમાં ગેસ, ઝાડા, અપચો અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી પડે

વારંવાર એન્ટિ બાયોટિક્સ લેવાથી શરીરની રોગ પ્રતિકારકશક્તિ ઓછી થાય છે. જેના કારણે નાની બીમારીઓ પણ વારંવાર થાય છે.

એલર્જીનો ખતરો

અનેક લોકોને એન્ટિ બાયોટિક્સ લીધા પછી એલર્જી થઈ શકે છે. આનાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

લીવર અને કિડની પર દબાણ

લાંબા સમય સુધી વધુ પડતી એન્ટિ બાયોટિક્સ લેવાથી લીવર અને કિડની પર અસર થઈ શકે છે. શરીરમાંથી દવાની અસરને દૂર કરવામાં આ અંગો પર વધારે દબાણ પડતું હોય છે.

દવાઓની અસર ઘટે

જો એન્ટિ બાયોટિક્સ જરૂરિયાત વિના લેવામાં આવે છે, તો બેક્ટેરિયા તેની સામે વધુ મજબૂત બને છે. આ દવાની અસરકારકતામાં વધુ ઘટાડો કરે છે અને રોગ વધે છે.

બાળકો અને વૃદ્ધો સાચવે

નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા બાળકો અને વૃદ્ધો પર એન્ટી બાયોટિક્સ નકારાત્મક અસર કરી શકે છે. જો તેઓ તબીબની સલાહ વિના એન્ટી બાયોટિક્સ લે, તો તે જીવલેણ નીવડી શકે છે.

ફાયદાના બદલે નુકસાન

ઘણીવાર લોકો સામાન્ય શરદી અને ઉધરસ માટે પણ એન્ટિ બાયોટિક્સ લે છે. જે રોગ મટાડવાને બદલે નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે અને શરીર પર ખરાબ અસર કરી શકે છે.

Jaggery Benefits: ખાંડને બદલે ગોળ ખાવાના ફાયદા જાણો