તણાવ અને ડિપ્રેશન દૂર કરવા માટે બેસ્ટ છે આ આદતો, આજથી જ અપનાવો


By Sanket M Parekh01, Oct 2023 03:53 PMgujaratijagran.com

મેન્ટલ હેલ્થ

મેન્ટલ હેલ્થ સાથે સંકળાયેલી સમસ્યાથી બચવા માટે દવા ઉપરાંત લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા સિવાય આપણા સ્વજનોની મદદ પણ લઈ શકાય છે.

કઈ આદતો

એવામાં ચાલો જાણીએ, તમે તમારી મેન્ટલ હેલ્થને સુધારવા માટે ડેઈલી રૂટીનમાં કઈ આદતોને સામેલ કરી શકો છો.

એક્સરસાઈઝ

ડેઈલી એક્સરસાઈઝ કરવાથી આપણી માત્ર ફિજીકલ હેલ્થ જ સારી નથી રહેતી, પરંતુ આપણે મેન્ટલી પણ ફિટ રહીએ છીએ.

એંગ્ઝાઈટી

આ ઉપરાંત તમને તણાવ, ચિંતા અને એંગ્ઝાઈટી ઓછી કરવામાં પણ મદદ મળે છે. દરરોજ ઓછામાં ઓછી 15-20 મિનિટ સુધી એક્સરસાઈઝ કરો.

ગાઢ ઊંઘ

તમારે માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે ઓછામાં ઓછા 6 થી 8 કલાક સુધી ગાઢ ઊંઘ લેવી જ જોઈએ.

હેલ્ધી ફૂડ

તમારી ડાયટમાં એક હેલ્ધી ફૂડ અચૂક સામેલ કરો. આ માટે તમે ફળ, શાકભાજી, આખુ અનાજ અને પ્રોટીનનું સેવન કરી શકો છો.

મેડિટેશન

જો તમે તણાવ અનુભવતા હોવ, તો તેને ઓછો કરવા માટે મેડિટેશનની મદદ પણ લઈ શકો છો.

હિલ સ્ટેશન

જો તમને લાગે કે, હવે તમે વધારે તણાવ સહન કરી શકો તેમ નથી, તો થોડા દિવસ માટે કોઈ હિલ સ્ટેશન ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.

કોલેસ્ટ્રોલથી લઈને પાચન સુધારવા માટે હળદરનું પાણી કેવી રીતે રામબાણ છે, આવો જાણીએ