ભગવાન ગણેશના 8 અવતાર કયા-કયા છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya20, Oct 2024 04:02 PMgujaratijagran.com

વક્રતુંડ અવતાર

ભગવાન ગણેશે વક્રતુંડ અવતાર લઈ રાક્ષસ મત્સરાસુરને હરાવ્યો હતો અને તેના બન્ને દિકરાનો નાશ કરેલો.

એકદંત અવતાર

ભગવાન ગણેશે એકદંતનો અવતાર લઈ મદાસુરને યુદ્ધમાં હરાવ્યો હતો. કારણ કે તે દેવતાઓ પર ખૂબ અત્યાચાર કરતો હતો.

મહોદર અવતાર

દૈન્ય મોહાસુરના અત્યાચારોથી પરેશાન દેવ-દેવીઓએ ભગવાન ગણેશને આહવાન કર્યું. ત્યારે ગણેશજીએ મહોદર અવતાર લીધો હતો.

વિકટ અવતાર

એક વખત કમાસુર અસુરે દેવતાઓ પર અત્યાચાર કર્યાં. ત્યારે ગણેશજીએ વિકટ અવતાર લીધો અને તેને હરાવ્યો.

ગજાનન અવતાર

એક વખત લોભાસુરે લોકો પર અત્યાચાર કર્યો ત્યારે ભગવાન ગણેશે ગજાનનનું સ્વરૂપ ધારણ કરી તેનો નાશ કર્યો.

લંબોદર અવતાર

ભગવાન ગણેશનો એક અવતાર લંબોદર પણ છે.આ અવતાર તેમણે ક્રોધાસુરના અત્યાચારને અટકાવવા માટે લીધો હતો.

વિઘ્રરાજ અવતાર

ભગવાન ગણેશે વિઘ્રરાજ અવતાર ધારણ કર્યો અને ત્યારબાદ મમાસુરના નામ મર્દન કરતા દેવતાઓને બંદીગૃહથી મુક્ત કરાવેલ.

ધૂર્મવર્ણ અવતાર

ભગવાન ગણેશનો એક અવતાર ધૂર્મવર્ણ પણ છે. ધૂર્મવર્ણે અહંતાસુરનો અંત કર્યો અને દેવાઓને રાહત અપાવી. આ માહિતી ફક્ત માન્યતા, ધાર્મિક ગ્રંથો તથા વિવિધ માધ્યમ આધારિત છે.

કરવા ચોથનું વ્રત તૂટી જાય તો શું કરવું?