વહેલી સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવું એ નેચરોપેથિની એક ટેકનિક છે, જે વ્યક્તિને પ્રકૃતિ સાથે જોડે છે.
રોજ સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી શરીરને આ ફાયદા મળે છે.
સવારે ઝાકળથી ભીંજાયેલ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
લીલા ઘાસમાં ચાલવાથી મન શાંત થાય છે અને શરીરને આરામ મળે છે, જેનાથી તણાવ દૂર થાય છે.
રોજ સવારે લીલા ઘાસ પર ચાલવાથી હૃદયના ધબકારા નોરમલ રહે છે અને બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
રોજ લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની પણ સુધરે છે.
ડાયાબિટીસના દર્દીઓને દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
દરરોજ સવારે અડધો કલાક ઘાસમાં ખુલ્લા પગે ચાલવાથી રાત્રે આરામદાયક ઊંઘ આવે છે.
સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી પગ, તળિયા અને ઘૂંટણના સ્નાયુઓને આરામ મળે છે.
અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે, કોઈપણ માહિતી અમલમાં મૂકતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.