મહાકાલેશ્વર અને કાળ ભૈરવ મંદિર સાથે જોડાયેલ અજાણ્યા રહસ્યો


By Pandya Akshatkumar26, Sep 2023 03:46 PMgujaratijagran.com

મહાકાલનું સ્થાન

મહાકાલેશ્વર મંદિરમાં દર્શન માટે દર વર્ષે લાખો લોકો ઉજ્જૈન જાય છે. આજે મહાકાલેશ્વર અને કાળ ભૈરવ મંદિરના રહસ્યો જાણીએ.

કાળ ભૈરવ મંદિર

કાલ ભૈરવ મંદિર ભારત જ નહીં દુનિયાનું સૌથી પહેલું મંદિર છે જ્યાં ભગવાનને દારુ ધરાવવામાં આવે છે. મંદિરની આજૂબાજૂ દારુની દુકાનો આવેલી છે.

નામનું રહસ્ય

મહાકાલમાં ભસ્મ આરતી થાય છે અને કહેવામાં આવે છે કે અહીં જે ચિતા પહેલી બળે છે તેની રાખ લાવીને પૂજા આરતી કરવામાં આવે છે. તેવી માન્યતા છે કે તેનો સંબંધ મૃત્યુથી છે.

કાળનો સંબંધ

કાળનો સંબંધ મૃત્યુ સાથે થાય છે. મહાકાલનું શિવલિંગ ત્યારે પ્રગટ થયું હતું જ્યારે એક રાક્ષસનું વધ થવાનું હતું. ભગવાન રાક્ષસનો કાળ બનીને આવ્યા હતા.તેથી તેમને મહાકાલ કહેવામાં આવ્યાં.

રાજા કે મંત્રી રોકાઈ નથી શકતા

મહાકાલના શહેરમાં કોઈ રાજા કે મંત્રી રાત્રી રોકાણ કરી શકતા નથી. અને જો રોકાય તો તેમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે.

26 સપ્ટેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today September 26, 2023