વજન ઘટાડવા માટે ક્યાં અનાજની રોટલી ખાવી જોઈએ, ચાલો જાણીએ


By Vanraj Dabhi27, May 2024 10:56 AMgujaratijagran.com

વજન ઘટાડવું

જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો તમે તમારા આહારમાં ઘઉંની જગ્યાએ અન્ય અનાજમાંથી બનેલી રોટલીનો સમાવેશ કરી શકો છો.આ રોટલી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે, જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.

બાજરાના લોટનો રોટલો

જો તમારે વજન ઘટાડવું હોય તો તમે તમારા આહારમાં બાજરીની રોટલીનો સમાવેશ કરી શકો છો,કારણ કે બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે અને તે બ્લડ શુગર લેવલને જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

ચણાના લોટની રોટલી

વજન ઘટાડવા માટે બપોરના ભોજનમાં ચણાના લોટની રોટલી અને નાસ્તામાં શાકભાજીથી ભરપૂર ચણાના લોટના પુડલા એક સારો વિકલ્પ છે. તે પ્રોટીનથી સમૃદ્ધ છે અને વધારાની કેલરી ઘટાડવામાં મદદ કરી શકે છે.

રાગીના લોટની રોટલી

રાગી એ ઓછું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતું અનાજ છે,તેથી તેના લોટમાંથી બનાવેલી રોટલી ડાયાબિટીસની સાથે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.

જુવારના લોટની રોટલી

જુવારના લોટની રોટલી

વજન ઘટાડવા માટે તમે ફાઈબરથી ભરપૂર જુવારની રોટલી ખાવ,તે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રાખશે, તેથી તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી બચી શકો છો.

કટ્ટુના લોટની રોટલી

ભારતમાં કટ્ટુના લોટની પુરીઓ,પકોડા વગેરે મોટે ભાગે નવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે.તમે વજન ઘટાડવા માટે કટ્ટુના લોટની રોટલીનો સમાવેશ કરી શકો છો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં વધુ ઊંઘ અને આળસ કેમ આવે છે,જાણો